________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા નડિયાદ સ્ટેશન ઉપર શ્રીમદ્દ સાથે મોતીલાલને વાત થઈ હતી તે તેમણે મુનિઓને જણાવી એટલે કેટલાક મુનિએ ખંભાત તરફ અને કેટલાક અમદાવાદ તરફ વિહાર કરવા વિચાર કરતા હતા તે બંધ રાખી બધાને શ્રીમદુના સમાગમની ભાવના વધવાથી ઈડર તરફ બધાએ વિહાર કરવા વિચાર રાખે. | શ્રી લલ્લુજી, શ્રી મેહનલાલજી અને શ્રી નરસિંહરખ એ ત્રણે મુનિઓ ઉતાવળે વિહાર કરી વહેલા ઈડર પહોંચ્યા. મુનિશ્રી દેવકરણજી, શ્રી વેલશીરખ, શ્રી લક્ષ્મીચંદજી અને શ્રી ચતુરલાલજી પાછળ ધીમે ધીમે આવવા લાગ્યા. ઈડર શ્રાવક ઉપાશ્રયમાં શ્રી લલ્લુજી આદિ ઊતર્યા અને ડો. પ્રાણજીવનદાસના દવાખાના તરફ શ્રીમદૂની શોધમાં શ્રી લલુજી ગયા. શ્રીમદ્દ સાથે શ્રી સેભાગ્યભાઈના ભાણ ઠાકરશી હતા તેમણે શ્રીમને કહ્યું: “પેલા મુનિ આવ્યા.”
શ્રીમદ ઠાકરશીને કહ્યું: “તેમને પરભાર્યા વનમાં લઈ જા, અહીં ન આવે.”
ઠાકરશીએ શ્રી લલ્લુજીને તે પ્રમાણે જણાવ્યું એટલે બને વનમાં ગયા. પાછળ શ્રીમદ્દ પણ આવ્યા. શ્રી લલ્લુજીને એક આંબાના વૃક્ષ નીચે શ્રીમદ્ બોલાવી ગયા અને પૂછ્યું: મોતીલાલે તમને શું કહ્યું હતું?”
શ્રી લલ્લુજીએ કહ્યું: “મોતીલાલને આપે પૂછેલું કે સાધુઓ કયાં જવાના છે? તેને ઉત્તર મોતીલાલે આપે કે અમદાવાદ અગર ખંભાત જવાના છે. આપે કહ્યું કે ઠીક, અમે ઈડર નિવૃત્તિ અર્થે જવાના છીએ. તેથી દર્શન-સમાગમની ઈચ્છાએ આ તરફ આપની નિવૃત્તિના વખતમાં વધારે લાભ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org