________________
ઈડરના પહાડ ઉપર
૨૩૭ ખ્યાલ આપે છે. જિન તીર્થકરેની છેલ્લી ચોવીસીના પહેલા આદિનાથ (ાષભદેવ-કેસરીઆઇ) અને છેલ્લા મહાવીર સ્વામીનાં નામ આપે સાંભળ્યા હશે. જિનશાસનને પૂર્ણપણે પ્રકાશ કરનાર આ છેલ્લા તીર્થકર અને તેઓના શિષ્ય ગૌતમ આદિ ગણધરે વિચરેલાને ભાસ થાય છે. તેઓના શિષ્ય નિર્વાણને પામ્યા, તેમને એક પાછળ રહી ગયેલે જેને જન્મ આ કાળમાં થયેલ છે. તેનાથી ઘણું જીવનું કલ્યાણ થવાને સંભવ છે. (જુઓ પૃ. ૨૨૮ લીટી ૧-૨)
કુમારપાળ રાજાના વખતમાં હેમાચાર્ય થયા. ત્યાર બાદ કોઈ સમર્થ આચાર્ય નહીં થવાથી જિનશાસનની ઉન્નતિ અટકી છે, એટલું જ નહીં પણ તેને અનુયાયી સાધુઓ કેવળ કિયામાં રાચી રહી, ધ્યેયવસ્તુ તરફનું લક્ષ ઘણે ભાગે. ચૂક્યા અને ઘણું મત ગચ્છના વાડા બંધાયા; જેથી અન્ય મત–પંથવાળાએથી આ જિનશાસન નિંદાયું છે. ખરું જોતાં તેનું આધ્યાત્મિક રહસ્ય સમજવામાં આવતું નથી. તેથી ક્રિયાજડ વસ્તુસ્થિતિ ઉત્પન્ન થઈ છે. ભાગવત અને પુરાણેની અધ્યાત્મ ભાવના હાલના જમાનામાં સમજવામાં નહીં આવ્યાથી લેકે તેને ગપાટાં ઠરાવે છે. વળી કૃષ્ણ ભગવાનની રાસલીલા અને બીજી આખ્યાયિકાઓને ઊંડો ભેદ નહીં સમજવાથી નિંદે છે. દાખલા તરીકે, ગોપી મહીની મટુકીમાં કૃષ્ણને વેચવા સારુ નીકળે છે અને “કઈ માધવ , કેઈ માધવ
” એમ બેલે છે. તેને અર્થ સમજ્યા વગર લેકે નિન્દા કરે છે. પણ તેની અધ્યાત્મભાવના એવી છે કે “વૃત્તિઓ” રૂપી ગોપીઓએ મટુકીમાં માધવરૂપી પરમાત્મા સાથેનું અનુસંધાન કર્યું સમજવાનું છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org