________________
૨૨ ઈડરના પહાડ ઉપર
ઈડરમાં શ્રીમના કાકાસસરા ડૉ. પ્રાણજીવનદાસ જગજીવનદાસ મહેતા ઈડર સ્ટેટના ચીફ મેડિકલ ઓફિસર હતા. તેમને ત્યાં સં. ૧૯૫૫ માં શ્રીમદ્ રહ્યા હતા. તે વખતે ગામમાં ઘણું કરીને જોજન એટલે દિવસે કાળ ગાળતા; અને ઘણોખરો વખત ઈડરના પહાડ અને જંગલમાં પસાર કરતા. શ્રીમદે ઑક્ટર પ્રાણજીવનદાસને ખાસ મનાઈ કરેલી હોવાથી જનસમાજમાં તેમના આવાગમન સંબંધી કંઈ વાત બહાર પડતી નહીં. ઈડરના મરહૂમ મહારાજા સાહેબે તેમની એક બે વખત મુલાકાત લીધેલી તે દરમ્યાન જ્ઞાનવાર્તા થયેલી તેને સાર “દેશી રાજ્ય નામના માસિકમાં ઈ. સ. ૧૯૨૮ માં પ્રસિદ્ધ થયે છે તે નીચે પ્રમાણે છે :
મહારાજા: લેકમાં કહેવત છે કે “રાજેશ્રી તે નરકેશ્રી અને અર્થ શું?
શ્રીમદ્ રાજ પદવી પ્રાપ્ત થવી એ પૂર્વનાં પુણ્ય અને તપોબળનું ફળ છે. તેને બે પ્રકાર છેઃ એક “પુણ્યાનુબંધી પુણ્ય અને બીજું “પાપાનુબંધી પુણ્ય.” પુણ્યાનુબંધી પુણ્યના ફળરૂપ પ્રાપ્ત થયેલી રાજપદવી ધારણ કરનાર સદા સત્વગુણપ્રધાન રહી, પોતાની રાજસત્તાને સદુપયેાગ કરી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org