________________
ચરોતરમાં પુનરાગમન
૨૩૩ સાથે બેલવું નથી. પરંતુ મુનિએ અગિયાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી શ્રીમની મુદ્રા પર દ્રષ્ટિ રાખી બેસી રહ્યા. છેવટે શ્રીમદ્ બલ્યાઃ આજે અમારે બેલવું નહોતું, પણ કહીએ છીએ કે તમે શું કરે છે?”
મુનિઓએ કહ્યું: “અમે આપની મુખમુદ્રાને જોયા કરીએ છીએ.”
શ્રીમદે કહ્યું: “આજે અંતરમાં ઊંડું બી વાવીએ છીએ. પછી તમારે જે ઉપશમ હશે તે પ્રમાણે લાભ થશે.” એમ કહી અદૂભુત બોધદાન દીધું.
પછી શ્રીમદે કહ્યું : “આ બોધને તમે બધા નિવૃત્તિક્ષેત્રે એકઠા થઈને બહુ વિચારશે તે ઘણું લાભ થશે.” | મારું ઊતરતાં વિહાર કરી વસો અને ખેડાથી બધા મુનિએ નડિયાદ આવ્યા અને શ્રીમને દરેકને સમાગમ થયું હતું તે પ્રસંગના અનુભવની પરસ્પર આપલે કરી આનંદની વૃદ્ધિ કરતા થડે કાળ નડિયાદમાં જ રહ્યા.
ખેડામાં એક વેદાંતવિદ્દ વકીલ “પંચદશી'ના લેખક ભટ્ટ પૂજાભાઈ સોમેશ્વર સાથે શ્રીમદુને વાતચીત થઈ હતી તે પ્રસંગે થયેલા પ્રશ્નોત્તર નીચે પ્રમાણે છે –
વકીલે પ્રશ્ન કર્યોઃ “આત્મા છે?” શ્રીમદે ઉત્તર દીધે: “હા, આત્મા છે.” પ્રશ્નઃ “અનુભવથી કહે છે કે આત્મા છે?”
ઉત્તરઃ “હા, અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે. તે તે અનુભવગેચર છે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org