________________
ચરોતરમાં પુનરાગમન
૨૩૧ અવસરે છતે થઈશ તે તે આનંદમાં કંઈ ફેરફાર થશે, એમ વિચારી હું એક ભીંતના પડદે રહી સાંભળતું હતું. તે કૃપાનાથ પિતે પિતાને કહે છે –
અડતાળીસની સાલમાં (સં. ૧૯૪૮) રાળજ બિરાજ્યા હતા તે મહાત્મા શાંત અને શીતળ હતા. હાલ સાલમાં વસે ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અદ્દભુત ગદ્ર પરમ સમાધિમાં રહેતા હતા. અને આ વનક્ષેત્રે વર્તતા પરમાત્મા પણ અદ્ભુત ગીન્દ્ર પરમ શાંત બિરાજે છે. એવું પિતે પિતાની નગ્નભાવી, અલિંગી, નિઃસંગ દશા વર્ણવતા હતા.
આપે કહ્યું તેમ જ થયું, ફળ પાકવું, રસ ચાખે, શાંત થયા; આજ્ઞાવડીએ હંમેશાં શાંત રહીશું. એવી વૃત્તિ ચાલે છે કે જાણે સત્પુરુષના ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે. પરમ કૃપાળુદેવે પૂર્ણ કૃપા કરી છે. સૂત્રકૃતાંગ, પ્રથમ શ્રુતસ્કંધ, દશમું સમાધિ અધ્યયન મારી પાસે કાવ્ય બોલાવી, પરમગુરુ સ્પષ્ટ ખુલ્લા અર્થ કરી, સમજાવતા હતા; પૂર્ણ સાંભળ્યું. વળી તેરમું યથારબ્ધ અધ્યયન મારી સમીપ બે દિવસ એકાંતમાં વાંચવા આપ્યું હતું. તે પછી પિતે ખુલ્લા અર્થ સમજાવ્યા હતા. અ૫ બુદ્ધિ વડે કંઈક સ્મરણમાં લેવાયા હશે. અમે એક આહારને વખત એળે ગુમાવીએ છીએ. બાકી તે સદ્ગુરુ સેવામાં કાળ વ્યતીત થાય છે, એટલે બસ છે. તેનું તે જ વાક્ય તે જ મુખમાંથી જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે નવું જ દીસે છે. એટલે હાલમાં પત્રાદિથી જણવવાનું બન્યું નથી, તેની ક્ષમાપના ઈચ્છું છું. લખવાનું એ જ કે હર્ષસહિત શ્રવણ કર્યા કરીએ છીએ. સર્વોપરી ઉપદેશમાં એમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org