________________
૨૩૦
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા મુનિઓને લાભ મળતે અને શ્રી દેવકરણુજી પ્રજ્ઞાવંત હોવાથી તેમના આગ્રહ દૂર થઈ શ્રીમદ્ ઉપર સારી શ્રદ્ધા બેઠી; તેનું વર્ણન પતે શ્રી લલ્લુજી ઉપર વસે પત્ર લખ્યું હતું તેમાં કરેલું છે; તે વિચારવા યોગ્ય હોવાથી અહીં આપે છે?
“પરમકૃપાળુ મુનિશ્રીની સેવામાં–મુ. વસે શુભક્ષેત્ર.
ખેડાથી લિ. મુનિ દેવકરણજીના સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય.
ઉત્તરાધ્યયન’ના બત્રીસમા અધ્યયનને બંધ થતાં અસદ્દગુરુની ભ્રાંતિ ગઈ સદ્ગુરુની પરિપૂર્ણ પ્રતીતિ થઈ, અત્યંત નિશ્ચય થયે, તે વખતે રોમાંચિત ઉદ્ભસ્યાં પુરુષની પ્રતીતિને દ્રઢ નિશ્ચય રેમ રેમ ઊતરી ગયે. આજ્ઞા વશ વૃત્તિ થઈ. રસાસ્વાદ વગેરે વિષય–આસક્તિના નિકંદન થવા વિષે અભુત, આશ્ચર્ય-ઉપદેશ થયે કે નિદ્રાદિ, ક્રોધાદિ પ્રકૃતિ પ્રત્યે શત્રુભાવે વર્તવું, તેને અપમાન દેવું, તેમ છતાં ન માને તે દૂર થઈ તે ઉપશમાવવા ગાળી દેવી, તેમ છતાં ન માને તે ખ્યાલમાં રાખી, વખત આવ્યે મારી નાખવી, ક્ષત્રિય ભાવે વર્તવું, તે જ વૈરીઓને પરાજય કરી સમાધિસુખને પામશે. વળી પરમ ગુરુની વનક્ષેત્ર(ઉત્તરસંડા)ની દશા વિશેષ, અદ્ભુત વૈરાગ્યની, જ્ઞાનની જે તેજોમય અવસ્થા પામેલ આત્માની વાત સાંભળી દિમૂઢ થઈ ગયે :–
એક દિવસે આહાર કરીને હું કૃપાનાથ (શ્રીમદુ) ઊતરેલા તે મુકામે ગયે. તે બંગલાને ચાર માળ હતા. તેના ત્રીજા માળે પરમ કૃપાળુ દેવ બિરાજ્યા હતા. તે વખતે તેમની અદ્ભુત દશા મારા જેવામાં આવ્યાથી મેં જાણ્યું કે હું આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org