________________
૧૩
જાતિસ્મરણશાન
શ્રીમદે ટૂંકામાં પતાવતાં કહ્યું : “પછી શ્રી જૂનાગઢને ગઢ જે ત્યારે ઘણે વધારે થા. હવે ચાલે.”
વિચારવાન જીવને કોધાદિ કોઈ પ્રકૃતિની પરવશતાને લઈને ઘણું સહન કરવું પડ્યું હોય, કે કઈ ઈષ્ટવિયેગને કે પ્રિયજનના મરણપ્રસંગે અનેક વાર વેઠવા પડ્યા હોય, કે મહાવ્યાધિના પ્રસંગે આવી પડ્યા હોય તેની સ્મૃતિ લાવી સંસારને વિચાર કરે તે આ અનિત્ય પદાર્થો ઉપરની આસક્તિ ઓછી થઈ જાય છે; મમત્વ, મેહ મેળાં પડે છે અને અજર, અમર અને નિત્ય એવા આત્મપદાર્થને નિર્ણય કરવા વૃત્તિ જાગે છે. તે પછી જેને અનેક ભવમાં આધિ, વ્યાધિ, ઉપાધિ તથા જન્મ, જરા, મરણનાં દુઃખ વેઠેલાં સ્મૃતિમાં તાજાં થયા હોય; નરક આદિ ગતિનાં અકથ્ય દુદખેની સ્મૃતિ જાગી હોય; તથા પરિભ્રમણનાં કારણે પૂર્વભવે સપુરુષ પાસે પ્રત્યક્ષ સાંભળ્યાં હોય તે સર્વ ઉપદેશ જેને
સ્મૃતિમાં પ્રત્યક્ષ ભાસતું હોય તેને જન્મ, જરા, મરણને ત્રાસ કેટલે વર્તે તથા પૂર્વભવે જાણેલે અને આરાધે મુક્તિને માર્ગ આરાધવા કેટલી તત્પરતા રહે તે આપણી કલ્પનામાં આવવું પણ મુશ્કેલ છે.
બાળપણાનાં એક કાવ્યમાં શ્રીમદે લખ્યું છે – અવળાં પણ સવળાં થશે, ઠોકર વાગ્યે ઠીક તપ્યા લોહને ટીપાં, સુધરી જશે અધિક,
ક્રોધાદિ સ્વભાવવાળા અનેક જીવે પશ્ચાત્તાપ થતાં કે ગ્ય સમજણ લાગી જતાં નાનપણમાં સારા કહેવાતા સાથીઓ કરતાં વિશેષ સારા નીવડ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org