________________
૧૨
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
-
ભાઈ કલ્યાણજીભાઈ જેવા કદાવર, રૂપાળા, ગુણી હતા. અમારા ઉપર તેએ વહાલ સખતા. તેઓને સર્પ ડસ્યા તેથી તત્કાળ ગુજરી ગયા; એમ વાત સાંભળી અમે પિતામહ પાસે ઘેર આવ્યા. ગુજરી જવું એટલે શું તે અમે જાણતા નહેાતા. પિતામહને અમે કીધું કે અમીચંદ ગુજરી ગયા કે ? પિતામહે વિચાર્યું —એ વાતની અમને ખખર પડશે તે ભય પામશું. એ કારણથી પિતામહે કીધું કે રાંઢા કરી લે (જમી લે) વગેરેથી એ વાત ભુલાવવા ઘણી ઘણી યુક્તિએ કરી પણ અમે ગુજરી જવા વિષે આ પહેલી જ વખત સાંભળેલ હાવાથી તે સમજવાની તીવ્ર જિજ્ઞાસા થયેલ, તેથી ફરી ફરી તે જ સવાલ કરતા રહ્યા. પછી પિતામહે કીધું : ‘હા, તે વાત ખરી છે.’
અમે પૂછ્યું કે ગુજરી જવું એટલે શું ?
પિતામહે કીધું : “તેમાંથી જીવ નીકળી ગયા, અને હવે તે હાલી, ચાલી, ખેાલી શકે નહીં; કે ખાવું, પીવું કશું કરી શકે નહીં. માટે તેને તળાવ પાસેના મસાણમાં ખાળી આવશે.’
અમે થોડી વાર ઘરમાં આમતેમ ફરી છૂપી રીતે તળાવે ગયા. ત્યાં પાળ ઉપરના એ શાખાવાળા ખાવળ ઉપર ચઢી જોયું, તે ખરેખર ! ચિતા ખળતી હતી. કેટલાક માધુસા આસપાસ બેઠેલા જોયા. તે વખતે અમને વિચાર થયા કે આવા માણસને ખાળી દેવા એ કેટલી ક્રૂરતા ? આમ શા માટે થયું ? વગેરે વિચાર કરતાં પડદો ખસી ગયા.'' આટલું કહીને તે તરત ઊભા થયા.
પદમશીભાઈએ કહ્યું : “સાહેબજી, એ વિષે હજી હું
વધારે જાણવા માગું છું.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org