________________
જાતિસ્મરણજ્ઞાન
થાય. પૂર્વ સંજ્ઞા કાયમ હેવી જોઈએ. અસંજ્ઞીને ભવ આવવાથી જાતિસ્મરણજ્ઞાન ન થાય.”
–શ્રીમદ્ રાજચંદ્ર ઉપરના “સમુચ્ચય વયચર્યાના લેખમાં જાતિસ્મરણજ્ઞાનને પિતે ઉલ્લેખ કર્યો નથી અને પછીના લખાણોમાં પણ તે વિષે વિશેષ વિસ્તૃત ચર્ચા કરી નથી તે પણ મિત્રો સાથેના વાર્તા લાપમાં કે સીધે પ્રશ્ન પૂછનારને જાતિસ્મરણજ્ઞાન પિતાને હતું તે ક્યારે અને કેવા પ્રસંગે પ્રગટ થયેલું અને વર્ધમાનતાને પામ્યું તે વિષે એક ભાઈ સાથે થયેલી વાતચીત સપ્રમાણુ લાગવાથી નીચે જણાવી છે :
ભાઈ પદમશી ઠાકરશી કચ્છના વાણિયા સંવત ૧૯૪રથી શ્રીમદ્દના સમાગમમાં આવેલા, તેમણે એક વખતે મુંબઈમાં ભૂલેશ્વર શાક મારકીટ પાસેના દિગંબર દેરાસરમાં શ્રીમદુને પ્રશ્ન પૂછે કે આપને જાતિસ્મરણજ્ઞાન છે એમ મેં સાંભળ્યું છે, તે વાજબી છે?
તેઓશ્રીએ ઉત્તરમાં જણાવ્યું : “હા, એવું કાંઈક છે; તેને આધારે આમ કહેવાયું છે.”
પદમશીભાઈએ ફરી પ્રશ્ન કર્યો : “આપને જાતિસ્મરણ કેટલી ઉમ્મરે અને કેવી રીતે થયું ?”
શ્રીમદે ઉત્તર આપ્યો : “અમે સાત વર્ષની વયના હતા, ત્યારે શ્રી વવાણિયામાં અમીચંદ નામના ગૃહસ્થ હતા; તેઓ
જ કલ્યાણજીભાઈને કહેલું કે અમને નવસે ભવનું જ્ઞાન છે. ખીમજીભાઈને શ્રીમદે પિતાના પૂર્વ ભવ સંબંધી સવિસ્તાર કહેલું કે તમારે તો અમારા ઉપર ઉપકાર છે. – દામજીભાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org