________________
જાતિસ્મરણજ્ઞાન
“જેમ બાલ્યાવસ્થાને વિષે જે કાંઈ જોયું હોય અથવા અનુભવ્યું હોય તેનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં કેટલાકને થાય ને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે ને કેટલાકને ન રહે. ન રહેવાનું કારણ એ છે કે પૂર્વ દેહ છોડતાં બાહ્ય પદાર્થોને વિષે જીવ વળગી રહી મરણ કરે છે અને નવ દેહ પામી તેમાં જ આસક્ત રહે છે. તેને પૂર્વપર્યાયનું ભાન રહે નહીં, આથી ઊલટી રીતે પ્રવર્તનારને એટલે અવકાશ રાખ્યું હોય તેને પૂર્વ ભવ અનુભવવામાં આવે છે...
“જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનને ભેદ છે. પૂર્વપર્યાય (દેહ) છોડતાં મૃત્યુ આદિ વેદનાના કારણને લઈને, નવે દેહ ધારણ કરતાં ગર્ભાવાસને લઈને, બાળપણમાં મૂઢપણાને લઈને, અને વર્તમાન દેહમાં અતિ લીનતાને લઈને પૂર્વપર્યાયની સ્મૃતિ કરવાને અવકાશ જ મળતું નથી, તથાપિ જેમ ગર્ભાવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહોતાં એમ નથી, તેમ ઉપરનાં કારણેને લઈને પૂર્વ પર્યાય સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહોતા એમ કહેવાય નહીં. જેવી રીતે આંબા આદિ વૃક્ષની કલમ કરવામાં આવે છે તેમાં સાનુકૂળતા હોય તે થાય છે, તેમ જે પૂર્વ પર્યાયની સ્મૃતિ કરવાને ક્ષપશમાદિ સાનુકૂળતા (ગ્યતા) હોય તે જાતિસ્મરણજ્ઞાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org