________________
સ્વ-વૃત્તાંત
જન્મભૂમિકામાં જેટલા વાણિયાએ રહે છે, તે બધાની કુળશ્રદ્ધા ભિન્ન ભિન્ન છતાં કંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી, એથી મને તે લેકોને જ પાનારો હતે. પહેલેથી સમર્થ શક્તિવાળે અને ગામને નામાંકિત વિદ્યાર્થી લેકે મને ગણતા, તેથી મારી પ્રશંસાને લીધે ચાહીને તેવા મંડળમાં બેસી મારી ચપળશક્તિ દર્શાવવા હું પ્રયત્ન કરતા. કંઠીને માટે વારંવાર તેઓ મારી હાસ્યપૂર્વક ટીકા કરતા; છતાં હું તેઓથી વાદ કરતે અને સમજણ પાડવા પ્રયત્ન કરતે. પણ હળવે હળવે મને તેમનાં પ્રતિકમણ સૂત્ર ઈત્યાદિક પુસ્તકો વાંચવા મળ્યાં; તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગતજીવથી મિત્રતા ઈચ્છી છે, તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ અને પેલામાં પણ રહી. હળવે હળવે આ પ્રસંગ વળે. છતાં સ્વચ્છ રહેવાના તેમજ બીજા આચાર-વિચાર મને વૈષ્ણવના પ્રિય હતા અને જગતકર્તાની શ્રદ્ધા હતી. તેવામાં કંઠી તૂટી ગઈ,
એટલે ફરીથી મેં બાંધી નહીં. તે વેળા બાંધવા ન બાંધવાનું કંઈ કારણ મેં શોધ્યું નહોતું. આ મારી તેર વર્ષની વયની ચર્ચા છે. પછી હું મારા પિતાની દુકાને બેસતું અને મારા અક્ષરની છટાથી કચ્છ–દરબારને ઉતારે મને લખવા માટે બોલાવતા ત્યારે હું ત્યાં જતે. દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે. અનેક પુસ્તક વાંચ્યાં છે, રામ ઈત્યાદિકનાં ચરિત્ર પર કવિતાઓ રચી છે સંસારી તૃષ્ણાઓ કરી છે, છતાં કેઈને મેં એ છે - અધિકે ભાવ કહ્યો નથી, કે કોઈને મેં ઓછું અધિકું તેળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org