SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા. તેમની પાસે તે વયમાં કૃષ્ણકીર્તનનાં પદો મેં સાંભળ્યાં હતાં; તેમ જ જુદા જુદા અવતાર સંબંધી ચમત્કારે સાંભળ્યા હતા, જેથી મને ભક્તિની સાથે તે અવતારમાં પ્રીતિ થઈ હતી, અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળલીલામાં કંઠી બંધાવી હતી; નિત્ય કૃષ્ણનાં દર્શન કરવા જતે; વખતેવખત કથાઓ સાંભળતે વારંવાર અવતાર સંબંધી ચમત્કારમાં હું મેહ પામતે અને તેને પરમાત્મા માન, જેથી તેનું રહેવાનું સ્થળ જવાની પરમ જિજ્ઞાસા હતી. તેના સંપ્રદાયના મહંત હોઈએ, સ્થળે સ્થળે ચમત્કારથી હરિકથા કરતા હોઈએ અને ત્યાગી હોઈએ તે કેટલી મજા પડે ? એ જ વિકલ્પના થયા કરતી; તેમ જ કોઈ વૈભવી ભૂમિકા જેતે કે સમર્થ વૈભવી થવાની ઈચ્છા થતી. “પ્રવીણસાગર' નામને ગ્રંથ તેવામાં મેં વાંચ્યું હતું, તે વધારે સમજે નહોતે છતાં સ્ત્રી સંબંધી નાના પ્રકારનાં સુખમાં લીન હોઈએ અને નિરુપાધિપણે કથા કથન શ્રવણ કરતા હોઈએ તે કેવી આનંદદાયક દશા, એ મારી તૃષ્ણા હતી. ગુજરાતી ભાષાની વાચનમાળામાં જગતકર્તા સંબંધી કેટલેક સ્થળે બંધ કર્યો છે તે મને દ્રઢ થઈ ગયું હતું, જેથી જૈન લેકે ભણે મારી બહુ જુગુપ્સા હતી; બનાવ્યા વગર કઈ પદાર્થ બને નહીં, માટે જૈન લેકે મૂર્ખ છે, તેને ખબર નથી. તેમ જ તે વેળા પ્રતિમાના અશ્રદ્ધાળુ લેકેની ક્રિયા મારા જેવામાં આવતી હતી, જેથી તે ક્રિયાઓ મલિન લાગવાથી હું તેથી બીતે હતે, એટલે કે તે મને પ્રિય નહતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy