SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ २२८ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ પ્રમાદ દૂર કરો, જાગૃત થાઓ. અમે જ્યારે વીર પ્રભુના છેલા શિષ્ય હતા, તે વખતમાં લઘુશંકા જેટલું પ્રમાદ કરવાથી અમારે આટલા ભવ કરવા પડ્યા. પણ જેને અત્યંત પ્રમાદ છતાં બિલકુલ કાળજી નથી. જેને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનું ઓળખાણ થવું ઘણું જ દુર્લભ છે” એક દિવસે મોતીલાલે પિતાનાં પત્નીને સૂચના આપેલી કે મેલ ટ્રેન ગયા બાદ તમે જમવાનું લઈને બંગલા તરફ આવજે, અને ત્રણ-ચાર ખેતર દૂર બેસજો. ત્યાંથી હું આવીને લઈ જઈશ. પરંતુ તે બંગલા પાસે આવી પહોંચ્યાં, તેથી મોતીલાલે તે બાઈને બહુ ઠપકો આપેકારણકે શ્રીમને વાત જણાવવાની જરૂર નહોતી. તે વાત શ્રીમના જાણવામાં આવી ગઈ, એટલે મેંતીલાલને કહ્યું : “શા માટે તમે ખીજ્યા? તમે ધણીપણું બજાવે છે? નહીં નહીં, એમ નહીં થવું જોઈએ. ઊલટો તમારે તે બાઈને ઉપકાર માનવે જોઈએ. એ બાઈ આઠમે ભવે મોક્ષપદ પામવાનાં છે. તે બાઈને અહીં આવવા દો.” મિતીલાલે તુરત જઈને બાઈને કહ્યું : “તમારે દર્શન કરવાની ઈચ્છા હોય તે આવે. તમને આવવાની આજ્ઞા આપી છે.” તે બાઈ દર્શન કરી ગયાં. શ્રીમદે પ્રમાદ તજવા ઉપદેશ દીધું હતું ? “ પ્રમાદથી જાગૃત થાઓ; કેમ પુરુષાર્થરહિત આમ મંદપણે વર્તે છે? આ જોગ મળ મહાવિકટ છે. મહા પુણ્ય કરીને આ જોગ મળે છે તે વ્યર્થ કાં ગુમાવે. છે? જાગૃત થાઓ, જાગૃત થાઓ. અમારું ગમે તે પ્રકારે કહેવું થાય છે તે માત્ર જાગૃત થવા માટે જ કહેવું થાય છે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy