________________
શરેતરમાં પુનરાગમન
२२७ પીવા સંબંધી હવે પૂછવું જોઈએ, એટલે મેડે જઈને શ્રીમદ્દને પૂછ્યું: “ખાવાપીવા માટે કેમ છે?”
શ્રીમદે કહ્યું : “તમે નડિયાદ જાઓ, તમારાં બાઈને નવરાવીને જેટલી તથા શાક કરાવજે. વાસણ લેખંડનું વાપરે નહીં, અને શાક વગેરેમાં પાણી તથા તેલ નાખે નહીં તેમ જણાવજે.”
મેતીલાલ નડિયાદ ગયા અને કહેલી સૂચના પ્રમાણે રોટલી અને શાક તૈયાર કરાવ્યાં. શ્રી અંબાલાલભાઈ નડિયાદમાં જ હતા. તેમણે ચૂરમું વગેરે રસેઈ તૈયાર કરાવી મૂકી હતી. પરંતુ આજ્ઞા થઈ હતી તે પ્રમાણે દૂધ અને ઘીમાં બનેલી રસેઈ તે બંગલે લાવ્યા તે વાપરીને શ્રીમદે પૂછ્યું: વાણિયાભાઈ (શ્રી અંબાલાલ) ત્યાં છે કે?” મેંતીલાલે કહ્યું : હા જી, છે.”
મોતીલાલ નડિયાદ ખાઈને આવતા અને શ્રીમદુને માટે શુદ્ધ ખેરાક લેતા આવતા. મેંતીલાલે પણ એક જ વખત આહાર લેવાનું રાખ્યું હતું કારણકે પ્રમાદ ઓછો થાય.
સાંજના શ્રીમદ્ બહાર દૂર ફરવા જતા અને દશેક વાગ્યે પાછા આવતા. કોઈ વખત મેતીલાલ પણ સાથે જતા. એક દિવસે ચાલતાં ચાલતાં શ્રીમદે જણાવ્યું: “તમે પ્રમાદમાં શું પડ્યા રહ્યા છે? વર્તમાનમાં માર્ગ એ કાંટાથી ભર્યો છે કે તે કાંટા ખસેડતાં અમને જે શ્રમ વેઠવો પડ્યો છે તે અમારે આત્મા જાણે છે. જે વર્તમાનમાં જ્ઞાની હોત તે અમે તેમની પૂઠે પૂઠે ચાલ્યા જાત, પણ તમને પ્રત્યક્ષ જ્ઞાનીને વેગ છે છતાં એવા યોગથી જાગૃત થતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org