SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ રર૩ ચારેતરમાં પુનરાગમન અભ્યાસ કરવે, અને તે થઈ શકે છે; કેમકે વિક્ટોરિયા રાણીની વૃદ્ધ અવસ્થા છે છતાં બીજા દેશની ભાષાને અભ્યાસ કરે છે.” એક વખતે શ્રી મેહનલાલજી મુનિએ શ્રીમને એક પત્રમાં લખીને જણાવ્યું કે મને વ્યાખ્યાન વાંચતાં આવડતું નથી, અને કહી દેખાડતા પણ આવડતું નથી માટે આપ આજ્ઞા કરે તે હું વ્યાખ્યાન વાંચવાનું બંધ કર્યું. તેના ઉત્તરમાં શ્રીમદે જણાવ્યું: “સાધુઓએ સ્વાધ્યાય કરવું જોઈએ; સ્વાધ્યાય, ધ્યાન વિના મુનિ કાળ વ્યતીત કરે નહીં, જ્યારે વ્યાખ્યાનસમય હોય ત્યારે એમ વિચારવું કે મારે સ્વાધ્યાય કરે છે, માટે મોટેથી ઉચ્ચાર કરી અન્ય સાંભળે એવા અવાજથી સ્વાધ્યાય કરું છું, એવી ભાવના રાખવી. કંઈ આહાર આદિની પણ તેમની પાસેથી કામના રાખવી નહીં, નિષ્કામ ભાવે વ્યાખ્યાન વખતે સ્વાધ્યાય કરો.” પછી શ્રી મોહનલાલજી મુનિએ પૂછ્યું: “મન સ્થિર થતું નથી, તેને શો ઉપાય?” શ્રીમદે ઉત્તરમાં જણાવ્યું : “એક પળ પણ નકામે કાળ કાઢવે નહીં. કેઈ સારું પુસ્તક વૈરાગ્યાદિની વૃદ્ધિ થાય તેવું વાંચવું વિચારવું; એ કાંઈ ન હોય તે છેવટે માળા ગણવી. પણ જે મનને નવરું મેલશે તે ક્ષણવારમાં સત્યાનાશ વાળી દે તેવું છે. માટે તેને સવિચારરૂપ ખેરાક આપે. જેમ ઢોરને કંઈ ને કંઈ ખાવાનું જોઈએ, દાણને ટોપલે આગળ મૂક્યો હોય તે તે ખાયા કરે છે, તેમ મન ઢેર જેવું છેબીજા વિકલપ બંધ કરવા માટે સદ્દવિચારરૂપ ખેરાક આપવાની જરૂર છે. મન કહે તેથી ઊલટું વર્તવું, તેને વશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy