________________
૨૨૨
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા પુષ્ટ કરનારે આહાર તે માંસ ખાવા બરાબર છે. આ બંધની ખુમારી દીર્ઘ કાળ સુધી રહી હતી.”
એક દિવસે વનમાં વાવ પાસે શ્રીમદ્ મુનિઓ સાથે વાત કરતા બેઠા હતા. શ્રી ચતુરલાલજી મુનિ તરફ જોઈને શ્રીમદે પૂછ્યું : “તમે સંયમ ગ્રહણ કર્યો ત્યારથી આજ સુધીમાં શું કર્યું ?”
શ્રી ચતુરલાલજીએ કહ્યું: “સવારે ચાનું પાત્ર ભરી લાવીએ છીએ તે પીએ છીએ, તે પછી છીંકણું વહેરી લાવીએ છીએ, તે સુંઘીએ છીએ; પછી આહારના વખતે આહારપણું વહોરી લાવીએ છીએ, તે આહારપાણી કર્યા પછી સૂઈ રહીએ છીએ, સાંજે પ્રતિક્રમણ કરીએ છીએ અને રાત્રે સૂઈ રહીએ છીએ.”
શ્રીમદ વિનોદમાં કહ્યું : “ચા અને છીંકણું વહોરી લાવવી અને આહારપાણ કરી સૂઈ રહેવું તેનું નામ દર્શન, જ્ઞાન, ચારિત્ર ?”
પછી આત્મજાગૃતિ અર્થે બોધ આપી શ્રી લલ્લુજીને ભલામણ કરતાં કહ્યું: “બીજા મુનિઓને પ્રમાદ છોડાવી, ભણવા તથા વાંચવામાં, સ્વાધ્યાય ધ્યાન કરવામાં કાળ વ્યતીત કરાવવા અને તમારે સર્વેએ એક વખત દિવસમાં આહાર કરે; ચા તથા છીંકણી વિના કારણે હંમેશાં લાવવી નહીં, તમારે સંસ્કૃતને અભ્યાસ કરે.” | મુનિ મેહનલાલજીએ કહ્યું: “મહારાજશ્રી તથા શ્રી દેવકરણજીની અવસ્થા થઈ છે અને ભણવાને જેગ ક્યાંથી બને?”
શ્રીમદે તેના ઉત્તરમાં કહ્યું : “બેગ બની આવ્યથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org