________________
ચરાતમાં પુનરાગમન
૨૧૯
આટલી વાત કરતાંમાં એક રાયણનું વૃક્ષ આવ્યું ત્યાં પરમકૃપાળુ સહિત અમે સાધુએ બેઠા. એક મુમુક્ષુભાઇ સાથે હતા. પરમકૃપાળુ ખેલ્યા કે ભગવાન રાયણ તળે બહુ વાર સમવસર્યો છે. આ રાયણ ઘણાં વર્ષની જૂની છે. રાયણનું વૃક્ષ ઘણાં વર્ષો પર્યંત ટકી શકે છે. નજીકમાંથી એક રસ્તા નીકળતા હતા. ત્યાંથી એક માળી પુષ્પા લઈને જતા હતા. તેણે પરમકૃપાળુ ઉપર સ્વાભાવિક પ્રેમ આવવાથી, પુષ્પો તેઓશ્રીના આગળ મૂકવાં. આ વખતે મુમુક્ષુ મૂળજીભાઇએ એક આના તે માળીને આપ્યા. પછી પરમકૃપાળુએ તે પુષ્પામાંથી એક પુષ્પ લઈ કહ્યું કે જે શ્રાવકે સર્વથા લીલેાતરી ખાવાના ત્યાગ કર્યો ડાય તે ભગવાનને પુષ્પ ચડાવી શકે નહીં; પણ જેણે લીલેાતરીના ત્યાગ કર્યો નથી એ પોતાના ખાવામાંથી લીલેાતરી કમી કરી ભગવાનને ભક્તિભાવે પુષ્પ ચડાવે, અને મુનિને પુષ્પ ચડાવવાના સર્વથા ત્યાગ હોય છે. તેમજ પુષ્પ ચડાવવા મુનિ ઉપદેશ પણ આપી શકે નહીં, એવું પૂર્વાચાર્યો કહી ગયા છે. પુષ્પ સંબંધી આ ખુલાસે કર્યાં પછી પ્રતિમાજી સંબંધી પેાતે જણાવ્યું કે સ્થાનકવાસીના એક સાધુ જે ઘણા વિદ્વાન હતા, તે એક વખત વનમાં વિહાર કરીને જતા હતા ત્યાં એક જિન દેરાસર આવ્યું; તેમાં વિશ્રાંતિ લેવા પ્રવેશ કર્યો તે સામે જિનપ્રતિમા દીઠી, તેથી તેની વૃત્તિ શાંત થઈ અને મનમાં ઉલ્લાસ થયેા. શાંત એવી જિત પ્રતિમા સત્ય છે એવું તેમના મનમાં થયું.
અહીં માહનલાલજીએ પ્રશ્ન કર્યો કે શાસ્ત્રમાં એમ કહેવામાં આવેલ છે કે જિનકલ્પીના સ્થવિરકલ્પમાં આવ્યા પછી મેાક્ષ થાય છે, તે શી રીતે ? ત્યારે પાતે હસીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org