SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ २१७ સરેતરમાં પુનરાગમન સાંભળવા આવશે તે બહુ લાભ થશે, એટલે ઘણું માણસે શ્રીમદ્ પાસે આવવા લાગ્યા એટલે શ્રી લલ્લુજીને શ્રીમદે કહ્યું કે તમારે મુનિઓએ બધા આવે ત્યારે ન આવવું. તેથી તેમને ઘણે પસ્તા થયે કે એક માસના સમાગમની માગણી કરી હતી પણ આમ અંતરાય આવી પડ્યો. તેથી પિપાસા બહુ વધી. માત્ર વનમાં શ્રીમદ્ બહાર જતા ત્યારે બધા મુનિઓ વગેરેને જ્ઞાનવાર્તાને લાભ મળતે. તે વિષે શ્રી લલ્લુજી સ્વામીના લખાવેલા શ્રીમદુના પરિચયમાં નીચે પ્રમાણે છે – –ચરામાં પહેલે દિવસ– “વસેથી એક માઈલના અંતર પર આવેલા ચરામાં એક દિવસ પરમ કૃપાળુદેવ મુમુક્ષ વર્ગ સહિત પધાર્યા. અમે પણ તેઓશ્રીની સાથે હતા. ત્યાં ગયા પછી ઘેરીભાઈ પાસે “ભરતેશ્વર ભૂપતિ ભયે વૈરાગી એ સઝાય ત્રણ વખત ગવરાવી. આનંદઘનજીકૃત વીસીમાંથી ઓગણીસમા તીર્થંકર મલ્લિનાથનું સ્તવન વારંવાર બેલાવ્યું, તે વખતના અમાપ આનંદનું આલેખન શી રીતે થાય? કારણકે પરમગુરુના વેગબળથી, આવાં વૈરાગ્યવૃદ્ધિ કરનારાં કાવ્ય જ્યારે તેમની સમક્ષ ગવરાવવામાં આવતાં, ત્યારે પાસ વૈરાગ્યમય વાતાવરણ છવાઈ રહેતું. સ્તવન બેલી રહ્યા પછી ધેરીભાઈએ પ્રશ્ન કર્યો કે જૈનદર્શન સર્વોત્તમ આપણે માનીએ છીએ તે શી રીતે? પ્રત્યુત્તરમાં કૃપાળુ દેવે જણાવ્યું કે આ વૈદ્યો છે, તેમાં એક ધનવન્તરી નામે સાચે વૈદ્ય છે, તે સત્ય નિદાન અને ચિકિત્સા કરી દરદીને દરદથી મુક્ત કરે છે. આથી જગતમાં પ્રત્યેક સ્થળે તેની ખ્યાતિ પ્રસરી, તે જોઈ પાંચ ફૂટ (માયાવી) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy