SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચ' જીવનકળા શ્રાવણ માસની શરૂઆતમાં શ્રીમદ્ પેટલાદ થઈ કાવિઠા ગયા. ત્યાં એક માસ અને નવ દિવસ સુધી નિવૃત્તિમાં રહ્યા. શ્રી અંબાલાલભાઈ સાથે રહેતા. મુનિશ્રી લલ્લુજી આદિનું ચેામાસું વસેામાં થયું હતું અને શ્રી દેવકરણજી આદિનું ખેડામાં હતું. તેથી શ્રીમદ્ કાવિઠાથી નડિયાદ થઇને વસેા પણ ગયા હતા. શ્રી લલ્લુજીને શ્રીમદે પૂછ્યું : “કહા મુનિ, અહીં કેટલા દિવસ રહીએ ?’’ ત્યાં સુધીમાં શ્રી લલ્લુજીને બે, ચાર કે છ દિવસથી વધારે સમાગમના પ્રસંગ મુંબઇ સિવાય બીજે કયાંય અન્યા નહાતા; તેથી વિશેષ સમાગમની ઇચ્છાએ તેમણે જવાબ દીધો : “એક માસ અહીં રહા તા સારું.” શ્રીમદ્ મૌન રહ્યા. શ્રી દેવકરણજીને ખબર મળી કે શ્રીમદ્ વસેા પધાર્યા છે; તેથી તેમની પણ સમાગમ માટે ઉત્કંઠા વધી. પત્રો દ્વારા અને માણસા મોકલીને ખેડા પધારવા તે આગ્રહ કરવા લાગ્યા. તે ઉપરથી શ્રી અંબાલાલભાઈની સૂચનાથી શ્રી લલ્લુજીએ ખેડા પત્ર લખ્યા કે ચાતુર્માસ પછી સમાગમ કરાવવા શ્રીમદ્ ઉપર તમે પત્ર લખા તે આપણે બધાને લાભ મળે તે વિશેષ સારું. શ્રી દેવકરણજીના તેવા ભાવાર્થને પત્ર શ્રીમદ્ ઉપર આવ્યો ત્યારે શ્રીમદે શ્રી લલ્લુજીને પૂછ્યું : “મુનિશ્રી દેવકરણુજીને પત્ર કોણે લખ્યું ?” ૨૧૩ શ્રી લલ્લુજીએ અંખાલાલનું નામ ન લેતાં કહ્યું : “મેં પત્ર લખ્યા હતા.’” શ્રીમદે કહ્યું : “આ બધું કામ અંબાલાલનું છે, તમારું નથી.’’ શ્રી લલ્લુજી ગામના મોટા મોટા લોકોને ત્યાં આહાર પાણી લેવા જતા ત્યારે બધાને કહેતા કે મુંબઈથી એક મહાત્મા આવ્યા છે, તે બહુ વિદ્વાન છે, તેમનું વ્યાખ્યાન For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy