________________
૨૧૩
શ્રીમદ્ રાજચદ્ર જીવનકળા
જ સર્વ શાસ્ત્રોને સાર શ્રીમદે શ્રી આત્મસિદ્ધિ’માં ભરી
દીધા છે.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ચાર નકલામાંથી એક શ્રી સેાભાગ્યભાઈને આપેલી તેના અભ્યાસથી તેમની દશા બહુ ઉચ્ચ થઈ હતી તે આગળ ઉપર જણાવી દીધું છે. શ્રી અંબાલાલભાઈને આજ્ઞા થયેલી તે પ્રમાણે તેમણે અત્યંત ભક્તિભાવથી તેનું વાંચન, મનન, નિદિધ્યાસન કરેલું અને તેનું માહાત્મ્ય ટૂંકામાં શ્રીમદ્ ઉપર લખેલા પત્રમાં જણાવે છે:
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર વાંચતાં વિચારતાં મારી અલ્પજ્ઞ મતિથી વિશેષ વિસ્તારપૂર્વક સમજી શકાતું નથી; પણ મારી સાધારણ મતિથી તે ઉત્તમાત્તમ શાસ્ત્ર વિચારતાં મારા મન, વચન, કાયાના યાગ સહજે પણ આત્મવિચારમાં પ્રવર્તતા હતા; જેનું અનુપ્રેક્ષણ કેટલાક વખત રહેવાથી, રહ્યા કરવાથી સામાન્યપણે પણ બાહ્ય પ્રવર્તવામાં મારી ચિત્તવૃત્તિ સહેજે અટકી જઈ આત્મવિચારમાં રહ્યા કરતી હતી, જેથી મારી કલ્પના પ્રમાણે સહજ સ્વભાવે શાંતિ રહ્યા કરતી હતી. જે ઘણા પરિશ્રમથી મારા ત્રિકરણ જોગ કોઈ અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમે સ્થિર નહીં રહી શકેલા, તે ચેાગ તે પરમાત્કૃષ્ટ શાસ્ત્ર વિચારવાથી સહજ સ્વભાવે પણ આત્મવિચારમાં સદ્ગુરુચરણમાં પ્રેમયુક્ત સ્થિરભાવે રહ્યા કરતા જેથી મારી અલ્પજ્ઞ દૃષ્ટિથી અને મારા સામાન્ય અનુભવથી મારી કલ્પના પ્રમાણે એમ લાગે છે કે જો તેવી રીતે તેજ શાસ્ત્રનું વિશેષ અનુપ્રેક્ષણ દીર્ધકાળ સુધી રહ્યા કરે તે આત્મવિચાર, આત્મચિંતન સદાય જાગ્રતપણે રહ્યા કરે; અને મન, વચન, કાયાના યાગ પણ આત્મવિચારમાં જ વર્યાં કરે.”
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org