SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ૨૧૧ વ્યવહારને તજે તે ભ્રાંતિમાં ભમે છે, મોક્ષ પામતા નથી. મેઢે જ્ઞાનની વાત કરે અને હૃદયમાં મેહ ભરપૂર હોય તે પામર પ્રાણી જ્ઞાનીને દ્રોહ કરે છે, અશાતના કરે છે. પરંતુ મુમુક્ષુ જીવ તે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય આદિ ગુણોનું સેવન કરી જાગ્રત રહે છે. જેણે મેહને ક્ષય કર્યો છે કે શાંત કરી દીધું છે તે જ્ઞાનીની દશા પામ્યું છે. સકળ જગત જેને એંઠરૂપ લાગે, સ્વપ્ન સમાન ભાસે તે જ્ઞાનીદશા કહેવાય, બાકી મેહમાં વર્તે છે તે ગમે તેવાં નિશ્ચયનાં વચન બેલે તેપણ તે વાચાજ્ઞાન કે શુફાન છે. પ્રથમનાં પાંચ પદને વિચાર કરીને મોક્ષના ઉપાયરૂપ છેલ્લા પદમાં જેનું વર્તન હોય તે મોક્ષરૂપ પાંચમું પદ પ્રાપ્ત કરે છે, એ નિઃશંક વાત જણાવી અંતમંગલની ગાથામાં જ્ઞાની પુરુષને નમસ્કાર જણાવ્યું છે: “દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં, હે ! વંદન અગણિત.” ચૌદ પૂર્વનું મધ્યનું – સાતમું પૂર્વ ‘ગામમવા' નામે છે તે સર્વ પૂર્વના સારરૂપ “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની રચના. આત્મસ્વરૂપને અનુભવ કરીને શ્રીમદે સુગમ રીતે મધ્યસ્થપણે કરી છે. તેને ઊંડે અભ્યાસ સદ્ગુરુ સમીપે થાય તે આત્મજ્ઞાન પામવું સુલભ થાય તેવું આ કળિકાળમાં ઉત્તમ સાધન આપણને પ્રાપ્ત થયું છે. તે સમજવા જિજ્ઞાસુ દશા પ્રાપ્ત કરી આત્મજ્ઞાની ગુરુ સમીપે ભક્તિપૂર્વક તેનું શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવા સર્વને ભલામણ કરું છું. પક્ષપાત કે ખંડન – મંડનની શૈલી ગ્રહણ કર્યા વિના માત્ર સત્ય વસ્તુને સુગમપણે ગ્રહણ કરાય તેવા રૂપે સુંદર પદ્યમાં ૧૪૨ ગાથામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy