________________
૨૧ ૦
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન દાસ, દાસ હું દાસ છું; તેહ પ્રભુને દીન. ૧૨૬ ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાલે આ૫ મ્યાન થકી તરવારવત, એ ઉપકાર અમાપ.” ૧૨૭
છેલ્લી પંદર ગાથાઓમાં ચૂલિકારૂપે ઉપસંહાર કર્યો છે. છ પદને વિસ્તારપૂર્વક વિચારવાથી “ષદર્શન જિન અંગ ભણી જે જેમ શ્રી આનંદઘનજીએ ગાયું છે તેમ છયે દર્શન સમજાશે, અને સમ્યગ્દર્શનનાં છયે સ્થાનકમાં નિઃશંક થવાથી સમકિતને લાભ થશે એમ જણાવી, મિથ્યાત્વ જે મેટો રેગ મટાડવા સદ્ગુરુ ઘેઘને શોધી તેની આજ્ઞારૂપ પથ્ય પાળીને સદ્ગુરુના બંધને વિચાર ધ્યાનમાં લેવારૂપ ઔષધની ભલામણ કરી છે. ભવસ્થિતિ પાકે નહીં ત્યાં સુધી મેક્ષ ન મળે વગેરે વિચારે તછ સપુરુષાર્થ કરી પરમાર્થ સાધવા પ્રેરણા કરી છે. નિશ્ચય નયે આત્માનું જ સ્વરૂપ છે તે લક્ષમાં રાખી સદ્વ્યવહારરૂપ મેક્ષનાં સાધને આરાધવાં, પણ વ્યવહાર કે નિશ્ચયને એકાંતે આગ્રહ ન કરે એવી ચેતવણી આપી છે. આ ગ્રંથમાં કેઈ નય એકાંતે કહ્યો નથી, બન્નેને ગૌણ મુખ્યપણે યથાગ્ય સાથે લક્ષ રાખેલ છે. ગચ્છમતની કલ્પનાએ સદ્વ્યવહાર ગણાય નહીં તેમ જ પિતાના સ્વરૂપનું જ્ઞાન પ્રગટ થયા વિના નિશ્ચયની વાતમાં કંઈ માલ નથી. ત્રણે કાળના સર્વે જ્ઞાનીને એક જ માર્ગ છે. નિશ્ચય નથી સર્વ જીવ સિદ્ધ જેવા છે, પરંતુ સદ્ગુરુની આજ્ઞા અને જિનદશાના અવલંબનરૂપ નિમિત્તથી તે સ્વરૂપ સમજાય તે તે સ્વરૂપે પ્રગટ થાય; માટે સદ્વ્યવહારની પણ જરૂર છે. એકાંતે શુદ્ધ ઉપાદાન કે નિશ્ચયનું નામ લઈને નિમિત્તરૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org