SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મસિદ્ધિશાસ ૨૦૯ કહેવું? ટૂંકામાં એટલું જ કહીએ છીએ કે તે વિચાર કરીશ તે તે સંપૂર્ણ પદ પ્રાપ્ત કરીશ. “નિશ્ચય સર્વે જ્ઞાનીને આવી અત્ર સમાય” એમ કહીને સહજ સમાધિમાં સદ્ગુરુ લીન થયા, મૌન થયા. છેવટે ઉપસંહાર કરતા પહેલાં “શિષ્યબાધબીજપ્રાપ્તિરૂપે નવ ગાથાઓ આપી છે તેમાં જ્ઞાન, ભક્તિ અને ઉપકારની લાગણી ઉત્તમ રીતે વર્ણવી જે ભાવ પ્રગટ કર્યો છે, તે ભાવ સદ્દગુરુનું ઓળખાણ જે મહાભાગ્યશાળીને થયું હોય તેને મરણ સમયે આવે તે મહાલાભ થાય, સમાધિમરણ થાય તેવી તે ગાથાઓ હોવાથી તથા મરણ સમયે પણ સંભળાવવા ગ્ય હોવાથી મૂળ રૂપે જ નીચે આપી છેઃ સદગુરુના ઉપદેશથી, આ અપૂર્વ ભાન; નિજ પદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ ભાસ્યું નિજ સ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; અજર અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂ૫. ૧૨૦ કર્તા ભક્તા કર્મને, વિભાવ વર્તે જ્યાંય વૃત્તિ વહી નિજ ભાવમાં, થયે અકર્તા ત્યાંય. ૧૨૧ અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કર્તા ભક્તા તેહને, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨ મેક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાશે સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ચન્થ. ૧૨૩ અહે! અહે! શ્રી સદૂગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહે! ઉપકાર. ૧૨૪ શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તે પ્રભુએ આપિ, વત્ ચરણાધીન. ૧૨૫ ૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy