________________
૨૦૮
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ દયા જેને હોય તે જીવને મોક્ષમાર્ગને જિજ્ઞાસુ જાણવે. એવા જિજ્ઞાસુ આત્માને સગુરુને બેધ થાય તે તે સમ્યગ્દર્શન પામે અને અંતરની શોધમાં વર્તે.
મત, દર્શનને આગ્રહ તજીને જે તે સદૂગુરુએ દર્શાવેલા લક્ષે વર્તે તે તે શુદ્ધ સમક્તિ પામે એટલે તેને અંશે આત્માને અનુભવ થાય છે.
- જ્યારે નિજસ્વભાવને સ્પષ્ટ અનુભવ, લક્ષ અને પ્રતીતિ વર્તે તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે ત્યારે પરમાર્થે સમ્યગ્દર્શન પ્રગટ થયું ગણાય છે.
સમ્યગ્દર્શનની વધતી જતી ધારાથી ચારિત્રમેહનીચના મિથ્યાભાસને ટાળે, ત્યારે ચારિત્રગુણ એટલે સ્વભાવસમાધિ પ્રગટે છે અને અંતે સર્વ રાગદ્વેષને ક્ષયરૂપ વીતરાગપદમાં સ્થિતિ થાય છે.
શુદ્ધ આત્મસ્વભાવનું જ્યાં નિરંતર જ્ઞાન રહે, તે જ્ઞાનને કેવળજ્ઞાન કહીએ છીએ. એ જીવન્મુક્ત દશારૂપ નિર્વાણ દેહ છતાં અત્રે અનુભવાય છે.
હે શિષ્ય! દેહમાં જે આત્મબુદ્ધિ થઈ છે અને તેથી દેહ, સ્ત્રી, પુત્રાદિ સર્વમાં અહંભાવ, મમત્વભાવ વર્તે છે તે છૂટે અને આત્મામાં આત્મબુદ્ધિ થાય તે તું કર્મને કર્તા પણ નથી તેમ જ લેતા પણ નથી; અને એ જ ધર્મનો મર્મ છે. એ જ ધર્મથી મેક્ષ છે; તું જ મક્ષસ્વરૂપ છે એટલે શુદ્ધ આત્મા છે; અનંત જ્ઞાન, દર્શન અને અવ્યાબાધ સુખસ્વરૂપ તું છે, તું જ શુદ્ધ છે, બુદ્ધ છે, ચૈતન્યપ્રદેશાત્મક છે, સ્વયં જ્યોતિ સ્વરૂપ છે અને અનંત સુખની ખાણ છે. વિશેષ કેટલું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org