________________
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૦૭
શિષ્યઃ કઈ જાતિમાં મેક્ષ પમાય છે, કયા વેષથી મોક્ષ પમાય છે એને નિશ્ચય મારાથી થઈ શક્યું નથી. કારણ કે કેઈ બ્રાણ આદિ જાતિને મેક્ષગ્ય માને છે, કઈ સાધુ આદિના વેષ વિના મેક્ષ થતું નથી એમ અનેક ભેદો વર્ણવે છે, એક જ પ્રકારને માર્ગ બધા માનતા નથી, તે મારે શું કરવું?
સદ્દગુરુઃ દર્શનમેહ અને ચારિત્રમોહને દૂર કરીને સત એટલે અવિનાશી, ચૈતન્યમય એટલે સર્વ ભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય શુદ્ધ આત્મા પામવાને ઉપર મેક્ષમાર્ગ કહ્યો તે ગમે તે જાતિમાં કે વેષમાં આરાધશે તે મેક્ષ પામશે. મેક્ષમાં ઊંચનીચને ભેદ નથી. આમાં કંઈ શંકા રાખવા યંગ્ય નથી.
શિષ્યઃ પાંચ પદ સમજ્યાનું ફળ, મોક્ષને ઉપાય ન સમજાય તે શા કામનું છે? પાંચે પદના ઉત્તરથી હે સદ્ગુરુ મારા મનનું સમાધાન થયું છે તેમ આ મેક્ષઉપાય નામનું પદ સમજાય તે મારા મહાભાગ્યને ઉદય થયે એમ હું જરૂર માનીશ. હે ગુરુરાજ ! મેક્ષમાર્ગની શરૂઆતથી સંપૂર્ણતા સુધીને ક ઉપાય છે?
સદ્ગરઃ કષાય એટલે ક્રોધ, માન, માયા અને લેભા એ સર્વને શમાવવા, મંદ કરવા, એક મેક્ષ સિવાય બીજી અભિલાષા ન રાખવી, સંસાર–પરિભ્રમણથી ત્રાસ પામવે અને આ આત્મા અનંત કાળથી કર્મને ભારે કચરાઈ રહ્યો છે તેને જન્મમરણનાં દુઃખથી સુકાવવા સાચા ભાવથી કાળજી રાખી મેક્ષ માટે પ્રવર્તવાના ભાવરૂપ અંતર દયા તેમ જ સર્વ જીવે સંસાર દુઃખથી મુક્ત થાય તેવા ભાવરૂપ અંતરથી
થયો એમ હું
કે રાજ! મેશ
સુધીને છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org