________________
२०७
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા તેમ આત્મજ્ઞાન થતાં અનાદિને વિભાવ ટળે છે. કર્મથી ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ એ જ અજ્ઞાનદશા છે, તે કર્મબંધનનું કારણ છે, શુદ્ધ આત્માથી ભિન્ન બહિરાત્મભાવમાં વાસને છે; પરંતુ કર્મથી મુક્ત થવાના ભાવ છે, તે નિજ શુદ્ધ આત્મસ્વભાવમાં વાસ થવે તે છે. કર્મબંધનનાં જે જે કારણો છે તે બંધમાર્ગ છે અને તે બંધનનાં કારણેને નાશ કરે તે મેક્ષમાર્ગ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ કર્મબંધનરૂપ વેલીની મુખ્ય ગાંઠ છે, તેને નિર્મૂળ કરવાના ઉપાય તે મેક્ષમાર્ગ છે. અનંત પ્રકારનાં કર્મો મુખ્ય આઠ કર્મોમાં સમાઈ જાય છે અને તે આઠેમાં મુખ્ય મેહનીયકર્મ છે, તેને નાશ કરવાને ઉપાય સાંભળ.
મેહનીય કર્મને બે ભેદ છે : એક દર્શનમોહનીય અને બીજે ચારિત્રમેહનીય. દર્શનમેહનીયને નાશ બેધથી થાય છે; અને ચારિત્રમેહનીય વીતરાગતાથી ટળે છે, આ સત્ય ઉપાય છે, કેમકે ક્રોધાદિથી કર્મ બંધાય છે અને ક્ષમાદિથી કર્મને નાશ થાય છે એ સર્વને પ્રત્યક્ષ અનુભવમાં આવે તેમ છે.
અનેક મત તથા અનેક દર્શને મેક્ષના ઉપાય બતાવે છે તે પ્રત્યેને આગ્રહ તજીને તથા આ મારો ધર્મ છે તે મારે પાળવે જ એવા વિકપ મૂકીને આ મેક્ષ માટે બતાવિલે માર્ગ આરાધશે તે છેડા ભવમાં મેક્ષ પામશે. છ પદ વિષે તે છ પ્રકારે પ્રશ્નો વિચાર કરીને પૂજ્યા તે પદ જે સગે સમજાય, તેમાં નિઃશંક થાય તે અવશ્ય મોક્ષમાર્ગ પામે છે. એકાદ પદમાં પણ શંકા હોય તે મોક્ષમાર્ગ પમત નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org