________________
તેવાં
જ કમનસાર ભાવના
છે. કેટલા રસ
૨૦૪
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા કર્મનું ફળ સારું જ મળે નહીં, તે પછી જગતમાં નીતિ વગેરેની વ્યવસ્થા ક્યાંથી રહે?
સદ્ગુરુ ઃ શુભાશુભ કર્મનાં ભેગવવા ગ્ય ફળ મળે તેવાં દ્રવ્ય, સ્થાન અને સ્વભાવની વ્યવસ્થા અનાદિસિદ્ધ જગતમાં છે, અને કર્માનુસાર ભાવનાના બળે જીવ કર્મ કેવી રીતે બાંધે છે અને કેટલા કાળ સુધી, કયે સ્થળે, કેટલા રસે તે કર્મનું ફળ ભેગવશે વગેરે વિષે ગહન શાસ્ત્રો લખાયાં છે તે વાત અત્યંત સંક્ષેપમાં અહીં જણાવી છે. જીવની યોગ્યતા વધતાં તે પ્રગટ સમજી શકાય તેમ છે.
(૫) કર્તા જોક્તા જીવ સાબિત થયા પછી મેક્ષપદ વિષે શંકા ઉત્પન્ન થવાથી શિષ્ય પ્રશ્ન કરે છે –
શિષ્યઃ જીવ કર્મ કરે છે અને ભગવે છે ખરે, પણ તે સર્વ કર્મથી મુક્ત થઈ શકે કે કેમ?
સદૂગુરુઃ જેમ શુભાશુભ કર્મ જીવ કરે તે તેનું ફળ પ્રાપ્ત થાય છે, તેમ શુભાશુભ કર્મ જીવ ન કરે તે તે કર્મથી નિવૃત્ત થાય અને તેનું ફળ પણ મળવું જોઈએ. તે નિવૃત્તિનું ફળ મેક્ષ છે એમ વિચારવાન જીવને જણાય છે.
શિષ્ય : અનંત કાળ વહી ગયે તે પણ જીવ મુક્ત થો નહીં. દેવાદિ ગતિ શુભ કર્મથી પાપે, અશુભકર્મો નરકે ગયે; પણ હજી દોષાવાળો જીવ પ્રત્યક્ષ છે; તે મેક્ષને સંભવ કેમ મનાય?
સદ્દગુરુઃ શુભાશુભ કર્મભાવને લઈને અનંતકાળ વીત્યે છતાં જીવ મુક્ત થયે નહીં. પરંતુ તે શુભાશુભ ભાવને નાશ કરવાથી મોક્ષ સ્વભાવ પ્રગટ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org