________________
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૦૧ (૩) આત્મા કંઈ કરતે નથી એ અભિપ્રાય દર્શાવતાં શિષ્ય પ્રશ્ન કરે છે –
શિષ્ય : હે સદ્દગુરુ ! આત્મા નિત્ય છે એમ સમજાયું, પણ તે કર્મને કર્તા હોય એમ લાગતું નથી; કર્મને કર્તા કર્મ હોઈ શકે એમ સમજાય છે.
સદૂગુરઃ જે ચેતનની પ્રેરણા ન હોય તે કર્મ કર્યું ગ્રહણ કરે? જડમાં તે પ્રેરણા કે કુરણને ધર્મ જણને નથી, તેથી કંઈક કરી શકવાની શક્તિ કે પ્રેરણા ચેતનમાં જણાય છે અને તેથી કર્મને કર્તા જીવ ઘટે છે.
શિષ્યઃ તે એમ માનવું પડશે કે જીવને સહજ સ્વભાવ કર્મ કરવાને છે.
| સગુરુઃ જે જીવ કર્મ ન કરે તે કર્મ થતાં નથી, જીવને કર્મ ન કરવાં હોય તે તેમ બની શકે છે, માટે કર્મ કરવાં એ જીવને સહજ સ્વભાવ નથી તથા કર્મ કરવાં એ છવધર્મ નથી કારણ કે પિતાને ગુણ હોય તે તે છૂટી શકે નહીં.
શિષ્ય : આત્મા સદાય અસંગ સ્વરૂપે રહે છે, માત્ર પ્રકૃતિ કર્મબંધ કરે છે તેથી જીવ અબંધ છે એમ માનવામાં કંઈ હરકત છે?
સગુરુ : જે આત્મા અસંગ સ્વરૂપે એકાંતે હોય તે તને તે સ્વરૂપે ભાસ જોઈએ પણ તેમ બનતું નથી. તેથી કઈ રીતે તે અસંગ, નિરાવરણ સ્વરૂપે હાલ નથી એમ સમજાય છે. તેમજ નિશ્ચય નથી એટલે શુદ્ધ સ્વરૂપે આત્મા અસંગ છે પણ તેનું ભાન થયા વિના તે દશા પ્રાપ્ત થતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org