________________
૨૦૦
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
દેશમાં અનુભવ થવા ગ્ય નથી. આમ જે સ્વાભાવિક આત્મદ્રવ્ય છે, અસંગી છે, તેને નાશ કે અન્ય દ્રવ્યમાં મળી જવું કેવી રીતે બને? તેથી તે સ્પષ્ટ નિત્ય પદાર્થ છે એમ વિચાર કરતાં સમજાશે. વળી વિચાર કર કે સર્પ વગેરે પ્રાણી જન્મથી ક્રોધાદિ સ્વભાવવાળાં હોય છે, સાપ અને મેરને તથા ઉંદર અને બિલાડીને જન્મથી વેર હોય છે, તે કેઈ આ ભવમાં બંધાયેલું વેર કે પ્રકૃતિદોષ જણાતા નથી તે પૂર્વ જન્મના એ સંસ્કાર છે એમ સિદ્ધ થતાં, જીવ મરતે નથી પણ જન્માંતરમાં પણ તેને તે જ હોવાથી નિત્ય સિદ્ધ થાય છે. પદાર્થની જે જે અવસ્થાએ તને બદલાતી જણાય છે તે બધા નિત્ય દ્રવ્યના પર્યાયે છે; એટલે પદાર્થ રૂપાંતર પામવા છતાં મૂળ દ્રવ્ય કાયમ રહે છે.
તે જ પ્રમાણે બાળ, યુવાન વગેરે અવસ્થાઓ બદલાયા છતાં તેને જાણનારે તે તેને તે જ એક આત્મા નિત્ય દ્રવ્ય રૂપે રહે છે. વસ્તુ માત્ર જે ક્ષણિક હોય તે ક્ષણિક પદાર્થને જાણીને બીજી ક્ષણે પિતે નાશ પામનાર સ્વભાવવાળે જીવ ક્ષણિક વસ્તુ છે એ અનુભવ પ્રગટ કરતાં પહેલાં નાશ પામવો જોઈએ; પણ ક્ષણિક સિદ્ધાંત પ્રગટ કરનાર ક્ષણિક ન હોવો જોઈએ એમ તે સ્પષ્ટ પ્રત્યક્ષ જણાય તેવું છે, તેથી ક્ષણિકપણાને અનુભવ કરનાર અક્ષણિક કે નિત્ય સિદ્ધ થાય છે. જગતમાં જેટલા પદાર્થો છે તેમાંથી સર્વથા કેઈને નાશ થતું નથી, માત્ર રૂપાંતર પામે છે; તે ચેતનને નાશ થાય છે એમ કહો તે કયા પદાર્થમાં તે ભળી જશે તેને વિચાર કરે, તે અસંગી પદાર્થ રૂપાંતર પામવા છતાં પિતાના રૂપે જ રહે એવું સ્પષ્ટ સમજાશે. તેથી આત્મા નિત્ય સિદ્ધ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org