________________
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૯૯ દેહની સાથે નાશ પામતું તત્વ હેવું જોઈએ, એમ મને લાગે છે, તે સત્ય હશે ?
સગુરુઃ દેહ હોય ત્યાં જ આત્મા હોય અને દેહ વિના આત્મા ન રહી શકે એ પ્રકારને અવિનાભાવી સંબંધ દેહ અને આત્માને નથી, પણ દેહને આત્માની સાથે માત્ર સંગ સંબંધ છે; વળી દેહ જડ છે, ઈન્દ્રિયથી જણાય તે રૂપી પદાર્થ છે, પિતે કંઈ દેખી શક્ત નથી, માત્ર આત્મા વડે દેખી શકાય તેવું દ્રશ્ય પદાર્થ છે, તે પછી ચેતનની ઉત્પત્તિ થઈ કે નાશ થયે તેને કેને અનુભવ થવા યોગ્ય છે? એટલે ચેતનની ઉત્પત્તિ અને નાશ થાય છે એમ અનુભવસિદ્ધ થતું નથી. ચેતનની ઉત્પત્તિ થઈ એમ જાણનાર ચેતનથી જદો હવે જોઈએ; તેમ જ ચેતન નાશ પામ્યું એમ જાણનાર પણ ચેતનથી જુદો હવે જોઈએ પણ ચેતનથી ભિન્ન અન્ય અચેતન પદાર્થો તે જાણી શકતા નથી. તેથી ચેતનનાં ઉત્પત્તિ, લય કહેનાર સપ્રમાણ ખેલતા હોય એમ લાગતું નથી.
શિષ્યઃ બધી વસ્તુઓ જેમાં તે નાશ પામનારી, ક્ષણિક લાગે છે અને ક્ષણે ક્ષણે બદલાતી અવસ્થા નજરે દેખાય છે; એ અનુભવ ઉપરથી પણ આત્મા નિત્ય તે જણને નથી.
સદ્ગુરુ ઃ તને સંયેગી પદાર્થો દેખાય છે, તે નાશ પામે છે એ તને અનુભવ થાય છે. જેને સંગ થયો છે, તેને વિયેગ સંભવે છે. પરંતુ તે જે અનુભવ કરનાર છે અને સંગને જોનાર છે, તે આત્મદ્રવ્ય તે સંગથી ઉત્પન્ન થયેલું નથી; કેમકે જડ વસ્તુઓના સંયેગથી ચેતન ઉત્પન્ન થાય એવું કઈ જગાએ કદી બની શકતું નથી, તેમ જ ચેતન દ્રવ્યથી જડ દ્રવ્યની ઉત્પત્તિ થાય એ પણ કદી કઈને કઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org