________________
૧૯૬
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ અને સદ્ગુરુ ગણવાની લાલસા રાખી શિગેના વિનયને લાભ લે છે તેવા અસદ્દગુરુ મહામહનીય કર્મ બાંધે છે, દીર્ઘસંસારી થાય છે, એવી ચેતવણી પણ આપી છે. મુમુક્ષુ જીવ ત્યાગી વર્ગમાં હોય કે ગૃહસ્થ અવસ્થામાં હોય પણ તેણે આ વાત લક્ષમાં રાખવા યોગ્ય છે એમ જણાવી, આત્મજ્ઞાન પામવા ઈચ્છનારે પ્રથમ મતાથીપણું ત્યાગવાની જરૂર હેવાથી મતાથનાં લક્ષણે બતાવ્યાં છે. તે દોષ દૂર કરી આત્માર્થીને
ગ્ય ગુણ ગ્રહણ કરવા સેગ્ય છે. માટે આત્માથનાં લક્ષણે વર્ણવ્યાં છે. શિષ્યનામાં આ બેતાળીશ ગાથાઓમાં જણાવેલી થિગ્યતા હોય અને આત્મજ્ઞાની ગુરુને તેને ઉપદેશ પ્રાપ્ત થાય તે અવશ્ય આત્મજ્ઞાન પ્રગટાવી તે શિષ્ય શાશ્વત એક્ષસુખ પામે છે. પછી એક ગાથામાં છ પદનાં નામને નિર્દેશ કરી, જે વાત હવે કહેવાની છે તે ષદર્શનના અભ્યાસના સારરૂપે આત્માનું ઓળખાણ કરાવવા જ્ઞાની પુરુષે કહેલી છે એમ જણાવ્યું છે.
આત્મજ્ઞાન પામ્યા હોય તે જ સદ્ગુરુ છે, તે સિવાયના કલ્પિત કુળગુરુથી કલ્યાણ થાય નહીં, અને એવા સદ્દગુરુ મળે તે હું મન, વચન, કાયાને તેની આજ્ઞા પ્રમાણે વર્તાવીશ અને સત્ય મેક્ષમાર્ગ અવશ્ય આરાધીશ એવા દ્રઢ નિશ્ચયવાળે આત્માથી શિષ્ય મેક્ષ સિવાયની સર્વ અભિલાષાઓ તજીને, ક્રોધાદિ શત્રુઓને મંદ કરીને, સંસાર પરિભ્રમણથી થાકીને અને આમેદ્ધારને લક્ષ રાખીને કઈ સદ્ગુરુને શોધે છે. તેવા સદૂગુરુ પ્રાપ્ત થતાં સરળ ભાવે પોતાના મનમાં જે જે શંકાઓ ઘુમાતી હતી તે છ ભેદે પ્રદર્શિત કરે છે અને સદગુરુ તેના ઉત્તર આપી નિઃશંક કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org