________________
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૯૫ વિષયની વિવિધતા નથી, તેમ દ્રષ્ટાંતિક કથા કે વર્ણને નથી. છ પદની સિદ્ધિ માટે પ્રશ્નોત્તર રૂપે તત્ત્વનિરૂપણને વિષય હોવા છતાં સિદ્ધાંતિક ગ્રંથે જેવી કઠણાઈ તેમાં નથી. બહુ સૂમ ચર્ચા કે તર્કમાં વાંચનાર ગૂંચવાઈ જાય, થાકી જાય તેમ ન કરતાં સૂક્ષમ વિચારણા કરવા પિતે પ્રેરાય અને આત્મા સંબંધી નિઃશંક થાય તેવી રચના અપૂર્વ રીતે માત્ર એક બેતાળીસ ગાથામાં શ્રીમદે કરી છે. તે ગ્રંથને કંઈક ખ્યાલ આવે તેવા વિચારથી ગુરુશિષ્યના પ્રશ્નોત્તરનું ટૂંકું વિવેચન અત્રે આપ્યું છે.
પ્રથમ ચૂંવાળીસ ગાથાઓમાં પ્રાસ્તાવિક વિવેચન કર્યું છે. તેમાં આત્મજ્ઞાન સિવાય જન્મમરણનાં દુઃખ ટળે નહીં એમ જણાવી, વર્તમાન કાળમાં મોક્ષમાર્ગને રોકનાર ક્રિયાજડત્વ અને શુષ્કજ્ઞાન એ બે દોષ દર્શાવી તે દોષનાં લક્ષણ આપ્યાં છે. તે બન્ને દોષ ટાળવાને ઉપાય સદ્ગુરુ-ચરણની ઉપાસના બતાવી સદ્ગુરુનાં લક્ષણ અને માહાભ્ય સંક્ષેપમાં વર્ણવી આત્માનું નિરૂપણ કરનારાં સશાસ્ત્ર અથવા સદ્દગુરુએ વિચારવા માટે જે જે શાસ્ત્રોની આજ્ઞા કરી છે તેવાં શાસ્ત્રોને અભ્યાસ મધ્યસ્થ બુદ્ધિએ કરવાની ભલામણ કરી છે. શાસ્ત્ર અભ્યાસ આદિ સાધને કરતાં પ્રત્યક્ષ સગુરુના વેગથી સ્વછંદ અલ્પ પ્રયાસે ટળી જાય છે, સ્વછંદ અને મતમતાંતરના આગ્રહ તજી સરુની આજ્ઞાએ વર્તનારને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. તેથી માનાદિક અંતર શત્રુઓને નાશ થાય છે. વિનય એ ધર્મનું મૂળ છે એ વીતરાગને અભિપ્રાય જણાવી, શિષ્યને સદગુરુની ભક્તિ કરવાની ભલામણ કરી છે; પરંતુ જ્યાં સુધી સદ્ગુરુને ગ્ય દશા જેને પ્રાપ્ત નથી થઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org