SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા થઇ. એક શ્રી સેાભાગ્યભાઈ માટે, એક શ્રી અંખાલાલભાઈ પાસે રાખવા, એક શ્રી લલ્લુજીસ્વામી માટે અને એક ઝવેરી માણેકલાલ ઘેલાભાઈ માટે એમ ચાર નકલા પ્રથમ થઈ. શ્રી સેાભાગ્યભાઇ ઉપર પણ છ પદના પત્ર સં. ૧૯૫૧ માં મેાકલવામાં આવ્યા હતા, અને તે મુખપાઠ કરી વારંવાર વિચારવા આજ્ઞા થયેલી; પણ વૃદ્ધાવસ્થાને લઈને મુખપાઠ કરતાં મુશ્કેલી જણાઈ તે તેમના દયાળુ હૃદયે અન્ય મુમુક્ષુએને પણ ગદ્યપાઠ મુખપાઠ કરતાં મુશ્કેલી કેટલી પડશે તે જાણી લઈ વિનંતીરૂપે શ્રીને જણાવ્યું કે, આ છ પદ્મના પત્ર વિષે ગદ્યમાં આત્મપ્રતીતિ કરાવી છે, તેવા પદ્યગ્રંથ લખાય તે સર્વ મુમુક્ષુએ ઉપર મોટો ઉપકાર થાય, અને સહેલાઈથી મુખપાઠ થઇ શકે. શરદૂ પૂર્ણિમાને દિવસે જે મેઘબિંદુ છીપમાં પડે તે મેતીરૂપે થાય છે એમ કહેવાય છે, તેમ આ વિનંતી એવા વખતે અને એવા પુરુષ દ્વારા થઈ કે તે શ્રીમના દિલમાં આત્મસિદ્ધિરૂપી અમૂલ્ય મેાતી ઉત્પન્ન કરવા સમર્થ થઈ. તથા સં. ૧૯૫૨ની શર૬ પૂર્ણિમાને ખીજે વિસે મુક્તિમાર્ગના પ્રવાસી શ્રીમદ્ રાજચંદ્રે જે આત્મસ્વરૂપનું નિરંતર પ્રગટપણે પોતાને દન હતું તે આબાલવૃદ્ધ સમજે તેવી સરળ ભાષામાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર દ્વારા પદ્યરૂપે પ્રગટ કર્યું. મહાન ગંભીર વિષયાને સરળ પદ્યમાં ઉતારીને માલગોપાલ સર્વ યથાશક્તિ સર્વોત્તમ તત્ત્વ સમજી ઉન્નતિ સાધી શકે તેવી સરળ પણ ગંભીર પ્રૌઢ ભાષા દ્વારા આ યુગમાં કેવાં શાસ્ત્રો રચાવા જોઈએ તેના યથાર્થ આદર્શ અનેક દૃષ્ટિએ વિચારવા યેાગ્ય, શ્રીમદે શ્રી આત્મસિદ્ધિ રચી રજૂ કર્યો છે. For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy