SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા. તેથી વિશેષ નિર્મળ ઊંચી હદ ઉપર છે. તેમજ દરેક મુનિએની દશા વિશે પણ જણાવ્યું હતું. તમે તેઓને મંત્ર આપજે. –ચોથે દિવસચેથે દિવસે જે ગચ્છમાં, જે સંપ્રદાયમાં દીક્ષિત થયેલા અને તેમાં જ મોક્ષમાર્ગ માનેલે તે ભાવે નિર્મૂળ કરવા માટે પરમ કરુણાએ કેસરીસિંહની માફક શૂરવીરપણાથી મતાગ્રહી ભાવ નષ્ટ કરે તેવી અલૌકિક વાણી ધારા વરસાવી હતી. તે વખતે અમારા અંતઃકરણમાં તે ઉપદેશથી અજબ અસર થઈ હતી. પણ બીજા સાધુ મેહનલાલજી જેવાના મનમાં તે બેધ તે વખતે રચેલે નહીં, કારણ કે અનાદિના મિથ્યાત્વના પર્યાય, ગ૭ મતને આગ્રહી ધર્મ માનેલે, આરાધે, દ્રઢ કરેલો તેથી એકાએક શી રીતે પરિવર્તન પામે? પરમ કૃપાળુદેવે જણાવેલું કે સમ્યફ વિવેક આદિ ગુણે પણ તે ગચ્છવાસમાં નથી, ઈત્યાદિ અસરકારક રીતે વિવેચન કર્યું હતું. તે કાળે જેને નહેતું સમજાયું, તેને પણ જેમ જેમ કાળ જતે ગયે તેમ તેમ તે ઉપદેશનું સ્મરણ કરતાં તે જ સાધુઓને પરમ કૃપાળુદેવનું પ્રવચન અમૃત તુલ્ય પરિણમ્યું, અને પિતાની ભૂલે માલૂમ પડી. અહે! સદ્દગુરુની કૃપાદ્રષ્ટિ અપૂર્વ છે. ઉપદેશ થયા પછી પિતે જણાવતા કે અમે જે આ બીજ વાવીએ છીએ, તે લાંબા કાળે પણ ઊગ્યા વિના રહેવાના નથી, કારણકે આ સજીવન બીજ છે. તેના ઉપર ઇલાયચીનું દૃષ્ટાંત દઈને સમજાવ્યું હતું કે ઈલાયચીનાં બીજને ઊગતાં બહુ દિવસ લાગે છે, પણ ઊગવાનું તે ખરું જ, તે પ્રકારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy