________________
૧૮૮
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા. તેથી વિશેષ નિર્મળ ઊંચી હદ ઉપર છે. તેમજ દરેક મુનિએની દશા વિશે પણ જણાવ્યું હતું. તમે તેઓને મંત્ર આપજે.
–ચોથે દિવસચેથે દિવસે જે ગચ્છમાં, જે સંપ્રદાયમાં દીક્ષિત થયેલા અને તેમાં જ મોક્ષમાર્ગ માનેલે તે ભાવે નિર્મૂળ કરવા માટે પરમ કરુણાએ કેસરીસિંહની માફક શૂરવીરપણાથી મતાગ્રહી ભાવ નષ્ટ કરે તેવી અલૌકિક વાણી ધારા વરસાવી હતી. તે વખતે અમારા અંતઃકરણમાં તે ઉપદેશથી અજબ અસર થઈ હતી. પણ બીજા સાધુ મેહનલાલજી જેવાના મનમાં તે બેધ તે વખતે રચેલે નહીં, કારણ કે અનાદિના મિથ્યાત્વના પર્યાય, ગ૭ મતને આગ્રહી ધર્મ માનેલે, આરાધે, દ્રઢ કરેલો તેથી એકાએક શી રીતે પરિવર્તન પામે? પરમ કૃપાળુદેવે જણાવેલું કે સમ્યફ વિવેક આદિ ગુણે પણ તે ગચ્છવાસમાં નથી, ઈત્યાદિ અસરકારક રીતે વિવેચન કર્યું હતું. તે કાળે જેને નહેતું સમજાયું, તેને પણ જેમ જેમ કાળ જતે ગયે તેમ તેમ તે ઉપદેશનું સ્મરણ કરતાં તે જ સાધુઓને પરમ કૃપાળુદેવનું પ્રવચન અમૃત તુલ્ય પરિણમ્યું, અને પિતાની ભૂલે માલૂમ પડી. અહે! સદ્દગુરુની કૃપાદ્રષ્ટિ અપૂર્વ છે.
ઉપદેશ થયા પછી પિતે જણાવતા કે અમે જે આ બીજ વાવીએ છીએ, તે લાંબા કાળે પણ ઊગ્યા વિના રહેવાના નથી, કારણકે આ સજીવન બીજ છે. તેના ઉપર ઇલાયચીનું દૃષ્ટાંત દઈને સમજાવ્યું હતું કે ઈલાયચીનાં બીજને ઊગતાં બહુ દિવસ લાગે છે, પણ ઊગવાનું તે ખરું જ, તે પ્રકારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org