________________
વડવા સ્થાને સમાગમ
૧૮૭
ખંભાતથી ઢુંઢિયા શ્રાવકે પણ આવેલા તેમાંથી ગટોરભાઈએ મુહપત્તિી સંબંધી કહ્યું કે શાસ્ત્રમાં મુહપત્તી ચાલી છે (મુખ આડે વસ્ત્ર રાખી બેલવાનું ફરમાન.) પરમકૃપાળુ દેવે હાથમાં વસ્ત્ર રાખી બેલતાં જણાવ્યું કે દોરે ચાલ્યા નથી. (દરાથી મુહપત્તી મોઢે બાંધવાનું વિધાન શાસ્ત્રમાં નથી.) એમ જેટલી વાર તેણે ઉથલાવી ઉથલાવી તે પ્રશ્ન કર્યો તેટલી વાર તેની તે વાત પરમકૃપાળુ દેવે પણ ઉત્તરમાં જણાવી. ગરભાઈનું શરીર કષાયના આવેશ વડે ધ્રુજવા માંડ્યું, એટલે પરમકૃપાળુ દેવે તેને તરફ બધાનું ધ્યાન ખેંચી કહ્યું કે આ અનંતાનુબંધીનું સ્વરૂપ જુઓ. વળી જણાવ્યું કે એના વિષે તમે કાંઈ વિકલપ કરશો નહીં, તે માર્ગ ઉપર આવવાને છે. તે જ સાલના ચાતુર્માસમાં દેવકરણજી મુનિના વ્યાખ્યાનમાં જ્ઞાનીની આશાતનાથી બંધાતા કર્મ અને પરિભ્રમણનું સ્વરૂપ સાંભળી તે ભાઈએ ભરી સભા સમક્ષ પિતાથી થયેલી પરમકૃપાળુ દેવની આશાતનાને પશ્ચાત્તાપ કરી ક્ષમાપન માગી હતી. | મુનિ ચતુરલાલજીએ ઉપદેશ પૂર્ણ થઈ રહ્યા પછી પિતાના આત્મકલ્યાણ અર્થે માર્ગ સૂચવવા વિનંતી કરી. આથી પરમકૃપાળુ દેવે “માવ્યા ક્ષિત્નિએ કલેકનું સ્મરણ કરવા, પાંચ નવકારવાળી (માળા) ફેરવવા અને નૃસિંહાચાર્ય રચિત ગરબો જય જય શ્રી સદ્દગુરુપદ, જે શિવ સત્યાદિક ગાયજી –કહું છું સાધકને મુખપાઠ કરવા આજ્ઞા કરી.
મને એકાંતમાં જણાવેલું કે હે મુનિ ! આત્મા ઊંચી દશા પર આવે એમ કર્તવ્ય છે. શ્રી ભાગ્યભાઈની દશા બહ સારી ઊંચી હદ ઉપર આવી છે, અને અમારી દશા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org