SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા લાગ્યા કે દીક્ષા ક્યારે લીધી? જન્મભૂમિનું ક્ષેત્ર કયું? વગેરે પ્રશ્નોત્તર થયા. પછી પૂછ્યું કે અમે જ્ઞાની છીએ એ તમને નિશ્ચય છે? મેહનલાલજી–હા, આપ જ્ઞાની છે, એ અમને નિશ્ચય છે. કૃપાળુદેવે કહ્યું–ગૃહવાસમાં જ્ઞાની હોય? મેહનલાલજી–હા, ગૃહવાસમાં પણ જ્ઞાન હોય એ વાત જિનાગમમાં સ્થળે સ્થળે છે. વાતચીતના પ્રસંગમાં શ્રીમુખે જણાવ્યું કે અમે આત્માને એક સમય માત્ર પણ ભૂલતા નથી. આ સાંભળી મેહનલાલજીને ઘણા દિવસ સુધી ખટકયા કરેલું કે ખાવું, પીવું વગેરે ક્રિયા કરતાં આત્માને ન ભુલાય એ કેમ બનતું હશે ? આ કથન આશ્ચર્યરૂપ અને સત્પરુષે કહેલું હોવાથી સત્યરૂપ લાગવા છતાં ઘણે વખત આશંકા રહી. પછી મેહનલાલજીએ વિનંતી કરી કે મારે આત્મકલ્યાણ માટે કેમ વર્તવું? સ્મરણ શાનું કરવું? ત્યારે પરમકૃપાળુ દેવે જણાવ્યું કે મુનિશ્રી લલુજી મહારાજ તમને જણાવશે; અને તેઓની આજ્ઞામાં ચાલશો તે તમારું કલ્યાણ છે. સાંજના વડ તળે ઘણા માણસને સમૂહ શ્રવણાર્થે એકત્ર થયે હતે. બધા મુનિઓ તથા ખંભાતમાંથી મુમુક્ષુઓ ઉપરાંત બીજો ભાઈ–બહેને આવ્યાં હતાં. શ્રી અંબાલાલભાઈએ બેઠક માટે બિછાવેલું હતું, પરંતુ તેના ઉપર નહીં બેસતાં પરમકૃપાળુ દેવ નીચે બેસી ગયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy