________________
વડવા સ્થાને સમાગમ અમારે બેધ મુમુક્ષુ જીને કાળે કરીને અંતરમાં અવશ્ય ઊગવાને છે.
– પાંચમે દિવસ– પાંચમે દિવસે બ્રહ્મચર્યની રક્ષા સંબંધી અપૂર્વ બોધ કરવામાં આવ્યું હતું. પરમકૃપાળુ દેવે મુનિ દેવકરણજી સામે જોઈ પૂછ્યું કે મુનિને બ્રહ્મચર્યની રક્ષા માટે દેહ પાડી દેવાનું પણ કહેવામાં આવેલ છે, તે આત્મઘાત ન કહેવાય? આ પ્રશ્નને ઉત્તર કેઈ આપી શક્યું નહીં. પછી કૃપાળુદેવે પરમ કૃપા કરી જણાવ્યું કે બ્રહ્મચર્ય એટલે આત્મા અને તેથી એ આત્માના રક્ષણાર્થે દેહને જ કરે પણ આત્માને રાખવે, તે ભગવાનની આજ્ઞા છે. માટે એ આત્મઘાત નથી, પણ આત્મરક્ષણ છે. એવા રૂપમાં ખુલાસો કરી જણાવ્યું કે પંચ મહાવ્રત છે, તેમાં ચોથા મહાવત માટે અપવાદ નથી; કેમકે તે કિયા રાગ વિના થવી સંભવતી નથી. જે કિયા રાગ રહિત રહીને થઈ શકે તેમાં અપવાદ શ્રી ભગવાને કહ્યો છે. તે અપવાદે તે કિયા મુનિ જરૂર પડ્યે કરે એવી આજ્ઞા પણ આપી છે. એટલે પ્રાણાતિપાત વિરમણ આદિ મહાવતેમાં અપવાદરૂપ વર્તન કારણસર ઉપદેશ્ય છે.
–છઠ્ઠો દિવસ– છઠ્ઠા દિવસે વડવામાં શ્રીમદે મુનિઓ પ્રત્યે કહ્યું : તમે ગૃહ, કુટુંબ, પરિવાર તેમ જ પંચની સાક્ષીએ પરિણીત સ્ત્રી–એ સર્વ પર નિર્મોહી થઈ નીકળ્યા છે, તે તમે સાચા સાધુઓ બને. આત્મામાં સારા પ્રગટ કરે. (૧) આત્મા છે; (૨) આત્મ નિત્ય છે; (૩) આત્મા કર્તા છે; (૪) આત્મા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org