SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચ`દ્ર જીવનકળા મુનિશ્રી લલ્લુજી સ્વામીએ લખાવેલા શ્રીમના પરિચયમાં તેઓશ્રી નીચે પ્રમાણે જણાવે છે :— – બીજો દિવસ–– ૧૮૪ બીજે દિવસે પરમ કરુણાનાથે પરમ કરુણા કરી ઉપશમ રસ અને વીતરાગભાવ પ્રગટ થાય એવી અપૂર્વ વાણી પ્રકાશી. પેાતે પરમ વીતરાગ મુદ્રા ધારણ કરી શુદ્ધ આત્માપયેાગમાં રહી જણાવ્યું કે આ વાણી આત્મામાં સ્પર્શીને નીકળે છે, આત્મપ્રદેશેાથી નિકટતરથી લૂંછાઇને પ્રગટે છે. અમને સર્વે સાધુને આ અલૌકિક વાણીથી અલૌકિક ભાવ પ્રગટ થયે હતા. તેમ જ એવી ચમત્કૃતિ લાગતી કે આવી વાણી આપણે કોઈ કાળે જાણે સાંભળી નથી. એવી અપૂર્વતા તે વાણીમાં અમને લાગતી હતી. ક્રોધ, માન, માયા, લાભ સંબંધી કહેતાં પરમકૃપાળુ દેવ મેલ્યા કે આ ચારે આપણા અનાદિ શત્રુએ છે. માટે ક્રોધાદ્રિ ઉદયમાં આવે ત્યારે કહી દેવું કે તમે અમારા અનાદિના દુશ્મન છે, તમે અમારું પૂરું કરવામાં કાંઈ આકી રાખ્યું નથી. પણ હવે તમને જાણ્યા છે, એમ કહી તે રિપુઓના ક્ષય કરવા. ક્રોધાદિના નાશ કરવા આમ અપૂર્વ ઉપાય બતાવ્યા હતા. અનુપમ વાણી શ્રવણ કરી, અંતઃકરણ જે આનંદ અનુભવતું હતું તે મર્યાદિત વાણી વડે અમે પ્રગટ કરવા સમર્થ નથી. તે કારણ કે તે ઉપદેશામૃત સાંભળતાં અમે જિનપ્રતિમાવત્ સ્તબ્ધ અની ગયા હતા અર્થાત્ એવી આત્મપરિણતિ, સ્થિરતા અને આત્મવીર્યનું ઉદ્ઘસવું અકથ્ય હતું. હું પામર તે અપૂર્વ વાણીની છાયા શું લખી શકું ? જેના એક અક્ષર પણ શ્રવણુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy