________________
૧૮૦
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા સાથે શ્રી અંબાલાલભાઈને કહેવરાવ્યું કે એક મુનિ આવ્યા છે તે તમને બોલાવે છે. શ્રી અંબાલાલ આવ્યા અને શ્રી લલ્લુજીને ઠપકે દેતાં કહ્યું: “તમને આજ્ઞા નથી અને કેમ આવ્યા છે?” તેમણે ઉત્તર આપેઃ “આજ્ઞા મંગાવવા માટે તે હું અહીં ઊભે રહ્યો છું. તમને આજ્ઞાવિરુદ્ધ લાગતું હોય તે હું પાછા જતે રહું.” શ્રી અંબાલાલે કહ્યું : “ના, એમ તે જવા ન દઉં, મને ઠપકો મળે, માટે કૃપાળુદેવ (શ્રીમદ્જી) આજ્ઞા કરે તેમ કરે. હું પૂછી આવું છું.” પછી શ્રી અંબાલાલે શ્રીમદ્જી પાસે જઈને મુનિશ્રી આવ્યાની ખબર કહી એટલે શ્રીમદે કહ્યું: “મુનિશ્રીના ચિત્તમાં અસંતોષ રહેતે હેય તે હું તેમની પાસે જઈને દર્શન કરાવું અને તેમના ચિત્તને વિષે શાંતિ રહે તે ભલે ચાલ્યા જાય.” શ્રી અંબાલાલે આવીને મુનિશ્રીને તે પ્રમાણે કહી સંભળાવ્યું. તે સાંભળી મુનિશ્રીએ કહ્યું: “આજ્ઞાનું પાલન થાય તેમ મારે કરવું, માટે હું પાછા ચાલ્યા જાઉં છું.” “દખિન્ન થઈ પિતાના ભાગ્યને દેષ દેખતાં શ્રી લલ્લુજી સ્વામી વિરહાગ્નિથી સંતાપ પામતાં આંખમાંથી ઝરતી આંસુધારા લૂંછતા લૂંછતા ખંભાત તરફ પાછા ફર્યા. ખંભાત જઈ તે રાત્રિ પરાણે વ્યતીત કરી. બીજે દિવસે ખબર મળ્યા કે શ્રી અંબાલાલ, શ્રી ભાગ્યભાઈ અને શ્રી ડુંગરશી ગેસળીઆને રાળજથી શ્રીમદે ખંભાત મોકલ્યા છે. શ્રી ભાગ્યભાઈ ઉપાશ્રયમાં આવ્યા અને શ્રી લલ્લુજીને આશ્વાસનરૂપે કહ્યું: “પરમકૃપાળુ દેવ તમને સમાગમ કરાવશે અને આપને કહેવા યોગ્ય જે વાત કહી છે તે આપને એકલાને જ જણાવવાની છે.” તેથી શ્રી અંબાલાલભાઈને ત્યાં જઈને તે બન્ને એકાંતમાં બેઠા. પરમકૃપાળુ દેવને સંદેશે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org