________________
૧૭૭
સુરત-કઠેરને સમાગમ કરતે. કોઈ દવાથી ફાયદો ન થયે અને મંદવાડ વધી ગયે. ઝવેરી લલ્લુભાઈને દેહ છૂટી ગયે અને શ્રી લલ્લુજી સ્વામીને પણ ચિંતા થવા લાગી કે વખતે દેહ છૂટી જશે. તેથી પરમકૃપાળુ શ્રીમદ્જીને તેમણે ઉપરાઉપરી પત્રો લખીને વિનંતી કરી: “હે નાથ ! હવે આ દેહ બચે તેમ નથી. અને હું સમકિત વિના જઈશ તે મારે મનુષ્યભવ વૃથા જશે. કૃપા કરીને મને હવે સમકિત આપ.” તેના ઉત્તરમાં શ્રીમદે અનંત કૃપા કરીને “છ પદને પત્ર લખે; અને સાથે જણાવ્યું કે દેહ છૂટવાને ભય કર્તવ્ય નથી. શ્રીમદ્ સુરત પધાર્યા ત્યારે તે “છ પદના પત્રનું વિશેષ વિવેચન કરી તેને પરમાર્થ શ્રી લલ્લુજીને સમજાવ્યું અને તે પત્ર મુખપાઠ કરી વારંવાર વિચારવાની તેમને ભલામણ કરી હતી.
આ “છ પદને પત્ર એક સ્વતંત્ર પ્રકરણ ગ્રંથ જે સૂત્રાત્મક શૈલીથી લખાયેલું છે. જેમ સાત તત્વ કે નવ પદાર્થોને વિવેચનથી સમસ્ત શ્રુતજ્ઞાનને ઉદય થવા ગ્ય છે અને તત્વાર્થસૂત્રાદિ અનેક મહાન ગ્રંથે એ સાત તો વિસ્તારથી સમજાવવા લખાયા છે, તેમ સાત તત્વમાંથી પ્રથમ તત્વ જે આત્મા તેનું ઓળખાણ થવા માટે “આત્મા છે,” આત્મા નિત્ય છે, “આત્મા કર્તા છે,” “આત્મા જોક્તા છે, “મેક્ષ છે અને “તે મેક્ષને ઉપાય છે'—એમ છ પદથી આત્મજ્ઞાન કે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તેવું અપૂર્વ વાણીથી નિરૂપણ કર્યું છે. એ જ “છ પદ વિસ્તારરૂપે પદ્યમાં ગુરુશિષ્યને સંવાદ કલ્પી “આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના શ્રીમદે અપૂર્વ રીતે કરી છે તે વિષે આગળ વિવેચન કરીશું.
૧૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org