________________
૧૭૬
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
નમસ્કારાદિ કરીશ.” તેથી શ્રી ચતુરલાલજી મુનિને નીચે રાખી બન્ને ઉપર ગયા અને વિનય નમસ્કારાદિ કરી નીચે બેઠા. શ્રીમદે તેમને ઉત્તમ બેધરૂપી પ્રસાદીથી તૃપ્ત કર્યા. તે વખતે નીચે રહેલા શ્રી ચતુરલાલજી મુનિને વિચાર થયો કે લાવને દાદરમાં જઈને જોઉં તે ખરે કે તે શું કરે છે? એમ ધારી દાદરમાં જઈને ગુપ્ત રીતે ડોકિયું કરી જોયું તે બને મુનિએ નમસ્કાર કરતા હતા. તેથી તેમની વાત ખંભાત જઈ જાહેર કરવી એવા તરંગમાં ચઢી તે નીચે જઈ બેઠા. થડી વારે શ્રી દેવકરણજી પણ નીચે ગયા અને શ્રી લલ્લુજી ઉપર રહ્યા. તેમને શ્રીમદે પૂછ્યું : “શ્રી દેવકરણુજી આવ્યા અને બીજા મુનિ કેમ ન આવ્યા?” શ્રી લલ્લુજીએ કહ્યું: “તેની દ્રષ્ટિ સહજ વિષમ છે એટલે ઉપર લાવ્યા નહીં.” પછી શ્રીમદ્દ નીચે ઊતર્યા અને શ્રી ચતુરલાલજી પાસે જઈને બેઠા અને શાંતિપૂર્વક કહ્યું: “મુનિ, અમારે તે તમે અને એ મુનિઓ બન્ને સરખા છે; સર્વ પ્રત્યે અમારે સમદ્રષ્ટિ છે. તમે પણ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સાચવી રાખજે. તેમાં ચૌદ પૂર્વને સાર છે.” આટલા જ સમાગમથી શ્રી ચતુરલાલજીની વૃત્તિ પલટાઈ ગઈ અને વિષમ દ્રષ્ટિ ટળીને આસ્થા થઈ.
બીજે દિવસે શ્રીમદ્દનું મુંબઈ જવું થયું અને થોડા દિવસ પછી મુનિઓને સુરતમાં ચાતુર્માસ નક્કી થયેલું હેવાથી તે સુરત પાછા આવ્યા.
સુરતના એક લલ્લુભાઈ ઝવેરી દશબાર માસથી માંદા રહેતા અને શ્રી લલ્લુજીને પણ દશબાર માસથી તાવ આવ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org