SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ સુરત-કરને સમાગમ ૧૭૫ આજે તે બહુ સારું વ્યાખ્યાન આપ્યું. પરંતુ શ્રી દેવકરણજી નીચે આવે ત્યારે શ્રી લલ્લુજી કહેતા કે આજે વિશેષ અભિમાન કર્યું, ધ્યાન કરી રહ્યા પછી કહેતા કે તમે તરંગ કરે છે. શ્રી દેવકરણછ કંઈ ઉત્તર આપતા નહીં; પણ શ્રીમદ્ સુરત પધારવાના હતા તે વખતે પૂછવાનું તેમણે નક્કી કરી રાખ્યું હતું. એક દિવસે શ્રીમદ્ સુરત પધારેલા ત્યારે મુનિઓ પાસે આવ્યા. તે વખતે શ્રી દેવકરણજીએ પ્રશ્ન પૂછ્યો: “શ્રી લલ્લુજી મહારાજ મને, વ્યાખ્યાન આપી આવું ત્યારે અભિમાન કર્યું કહે છે, ધ્યાન કરું છું તેને તરંગરૂપ કહે છે, તે શું વીતરાગ પ્રભુ એમનું કરેલું સ્વીકારે અને મારું ન સ્વીકારે એવા પક્ષપાતવાળા હશે ?” શ્રીમદે શાંતિથી કહ્યું: “સ્વછંદથી જે જે કરવામાં આવે છે તે સઘળું અભિમાન જ છે, અસાધન છે. અને સદ્દગુરૂની આજ્ઞાથી જે કરવામાં આવે છે તે કલ્યાણકારી ધર્મરૂપ સંસાધન છે.” ચેમાસુ સુરતમાં પૂરું કરી શેષ કાળ નિર્ગમન કરવા મુનિઓ કઠોર ક્ષેત્રે રહ્યા હતા. ત્યાં શ્રી લલ્લુજીએ સં. ૧૫૧ માં સત્તર ઉપવાસ કર્યા હતા. શ્રીમદ્ કઠોરમાં એક વખત પધાર્યા હતા અને ઉપાશ્રયમાં મેડા ઉપર જ ઊતર્યા હતા. તેથી ઉપર જતાં પહેલાં શ્રી લલ્લુજીએ શ્રી દેવકરણજીને કહ્યું કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે વિનય નમસ્કારાદિ કરવા પડે. શ્રી દેવકરણજીએ કહ્યું: “આપણે બે મુનિઓ જ જઈએ તે હું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy