________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા આત્મસ્વરૂપને નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુતજ્ઞાનસ્વરૂપ એવા દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશ યંગ્ય એવું “આચારાંગ સૂત્ર છે તેના પ્રથમ શ્રુતસ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં પ્રથમ વાકયે, જે શ્રી જિને ઉપદેશ કર્યો છે, તે સર્વ અંગના, સર્વ શ્રુતજ્ઞાનના સારસ્વરૂપ છે, મેક્ષના બીજભૂત છે, સમ્યક્ત્વ સ્વરૂપ છે. તે વાકય પ્રત્યે ઉપલેગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે, કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વછંદે નિશ્ચય કરે તે છૂટવાને માર્ગ નથી. | સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી તે પછી શ્રી દેવકરણજી પિતાને પરમાત્મસ્વરૂપ માને તે તે વાત અસત્ય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ, જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે, અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી; તથા શ્રી જિન વીતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે. બીજે મતભેદ કંઈ નથી.
મૃત્યુનું આવવું અવશ્ય છે.”
આવા પ્રસંગમાં માથે ગુરુ હોય તે ગુરુકપાથી જીવ બચી શકે છે, નહીં તે પિતાને પિતાના દોષ સૂઝતા નથી અને દોષોને ગુણ માની દોષમાં જીવ મગ્ન રહે છે.
શ્રી લલુજી સાથે શ્રી દેવકરણજી ધ્યાન કરતા, માળા ફેરવતા અને વ્યાખ્યાન કરતા. શ્રેતાઓ શ્રી લલ્લુજી પાસે નીચે આવીને બહુ પ્રશંસા કરતા કે શ્રી દેવકરણજી મહારાજે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org