________________
૧૭ સુરત- કઠોરને સમાગમ
શ્રી દેવકરણજીને જૈન શાસ્ત્રોને એટલે બધે અભિનિવેશ હતું કે તે શ્રી લલ્લુજીને વારંવાર કહેતા કે શ્રીમદ્ સૂત્રોથી બહાર શું બતાવવાના છે? અને સૂત્રો તે મેં વાંચ્યાં છે, હું જાણું છું. આ શાસ્ત્ર અભિનિવેશ મંદ કરાવવા શ્રીમદે તેમને ગવાસિષ્ઠ આદિ વેદાંતનાં શાસ્ત્રો વાંચવા આપ્યાં હતાં. સુરતમાં તે મુનિઓનું ચોમાસું સં. ૧૫૦માં હતું તે વખતે શ્રી દેવકરણજી તે વેદાંતના ગ્રંથ વાંચતા હતા. સુરતમાં વેદાંતના જાણકાર ઘણું ભાઈઓ હતા, તેમના સમાગમમાં આવવાથી અને વેદાંતના વિશેષ વાચનથી શ્રી દેવકરણજી પિતાને પરમાત્મા માનવા લાગ્યા. શ્રી લલ્લુજીએ તે વાત શ્રીમદ્જીને નિવેદન કરી એટલે એકાંતવાદમાં ન તણાઈ જવા માટે શ્રી દેવકરણજીને “ઉત્તરાધ્યયન” આદિ જૈનસૂત્રોનું પુનરાવલેકન કરવા સૂચવ્યું. શ્રીમદે એક પત્ર શ્રી લલ્લુજી ઉપર લખી શ્રી દેવકરણજીને ઠેકાણે લાવવા જે ઉપદેશ આપે છે તે સર્વને બહુ વિચારવા લાગ્યું હોવાથી તે અત્રે આવે છે?
શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સંગને વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એ અખંડ માર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org