________________
મુંબઈમાં મુનિસમાગમ
૧૭૧ ભિન્ન છે, તેમ સમ્યફદ્રષ્ટિ સર્વથી જુદો રહે. તે સમજાયું નથી અને જીવ સમ્યફ સમ્યક સાંપ્રદાયિક બુદ્ધિએ કહે છે તેને સમ્યફ જાણે છે?”
શ્રી દેવકરણજીએ ઉત્તર આપેઃ “તે સમ્યફ ન કહેવાય.”
શ્રીમદે કહ્યું: “સમક્તિનું સ્વરૂપ કઈ બીજું તેવું જોઈએ, એ વિષે તમે વિચારજે.”
એક દિવસે શ્રી લલ્લુજી એલ્યા ગયા હતા ત્યારે એક જણને દીક્ષા આપવા વિષે વાત થઈ ત્યારે શ્રીમદે જણાવ્યું: “તમે દીક્ષા ન આપશે; શ્રી દેવકરણજીને ચેલા કરવા હોય તે ભલે કરે.” શ્રી દેવકરણુજીએ દીક્ષા આપી હતી, પણ થોડા વખત પછી તે શિષ્ય પુરુષની નિંદામાં પડી ગડે થઈ સંઘાડે છોડી જતો રહ્યો હતે. | શ્રી લલ્લુજીએ શ્રીમને તેમને ચિત્રપટ આપવા આગ્રહ કર્યો પણ તેમણે કંઈ ધ્યાન આપ્યું નહીં. પછી બહુ આગ્રહ કર્યો ત્યારે નીચેની ગાથા સ્વહસ્તે લખી આપી – "संबुज्झहा जंतवो माणुसत्तं दठुभयं बालिसेणं अलंभो । एगंत दुक्खे जरिएष लोए, सक्कम्मणा विप्परियासु वेइ ।
સૂયગડાંગ–અધ્યયન ૭ મું. અર્થ–હે જીવ! તમે બેધ પામે, બંધ પામે, મનુષ્ય પણું મળવું ઘણું જ દુર્લભ છે, એમ સમજે; અજ્ઞાનથી સદુવિવેક પામ દુર્લભ છે, એમ સમજે; આ લેક કેવળ દુઃખથી બન્યા કરે છે, એમ જાણે અને પિતા પોતાનાં ઉપાર્જિત કર્મો વડે ઈચ્છા નથી છતાં પણ જન્મ-મરણાદિ દુઃખેને અનુભવ કર્યા કરે છે, તેને વિચાર કરે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org