SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા એક દિવસ તે બે મુનિઓ શ્રીમદુની પાસે આવ્યા ત્યારે શ્રીમદે શ્રી દેવકરણજી મુનિને પૂછ્યું: “વ્યાખ્યાન કેણ આપે છે? પર્વદા કેટલી ભરાય છે? શ્રી દેવકરણજીએ કહ્યું: “હજારેક માણસની પર્ષદા ભરાય છે.” શ્રીમદે પૂછ્યું : “સ્ત્રીઓની પર્ષદા જેઈ વિકાર થાય છે?” શ્રી દેવકરણજી બોલ્યા : “કાયાથી થતું નથી, મનથી થાય છે.” શ્રીમદે કહ્યું: “મુનિએ મન, વચન, કાયા ત્રણે વેગથી સાચવવું જોઈએ.” શ્રી દેવકરણજીએ આક્ષેપ કરતાં કહ્યું : “તમે ગાદીતકિયે બેસે છે અને હીરામાણેક તમારી પાસે પડેલા હેય છે. ત્યારે તમારી વૃત્તિ નહીં ડહોળાતી હોય?” શ્રીમદે કહ્યું: “મુનિ, અમે તે કાળકૂટ વિષ દેખીએ છીએ. તમને એમ થાય છે?” આ સાંભળી શ્રી દેવકરણજી સજ્જડ થઈ ગયા. શ્રીમદે પૂછ્યું: “તમે કેણુ છે?” શ્રી દેવકરણજીએ કહ્યું : “જેટલે વખત વૃત્તિ સ્થિર રહે તેટલે વખત સાધુ છીએ.” શ્રીમદે ફરી પૂછ્યું: “તેવી રીતે તે સંસારીને પણ સાધુ કહેવાય ખરા કે?” શ્રી દેવકરણજી મૌન રહ્યા. પછી શ્રીમદે કહ્યું: “હે મુનિ! નાળિયેરને ગેળે જેમ જુદો રહે છે તેમ અમે રહીએ છીએ. વીતરાગ માર્ગમાં સમ્યગદ્રષ્ટિનું સ્વરૂપ શું છે? નાળિયેરમાં રહેલે ગળે નાળિયેરથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy