________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા એક દિવસ તે બે મુનિઓ શ્રીમદુની પાસે આવ્યા ત્યારે શ્રીમદે શ્રી દેવકરણજી મુનિને પૂછ્યું: “વ્યાખ્યાન કેણ આપે છે? પર્વદા કેટલી ભરાય છે?
શ્રી દેવકરણજીએ કહ્યું: “હજારેક માણસની પર્ષદા ભરાય છે.”
શ્રીમદે પૂછ્યું : “સ્ત્રીઓની પર્ષદા જેઈ વિકાર થાય છે?”
શ્રી દેવકરણજી બોલ્યા : “કાયાથી થતું નથી, મનથી થાય છે.”
શ્રીમદે કહ્યું: “મુનિએ મન, વચન, કાયા ત્રણે વેગથી સાચવવું જોઈએ.”
શ્રી દેવકરણજીએ આક્ષેપ કરતાં કહ્યું : “તમે ગાદીતકિયે બેસે છે અને હીરામાણેક તમારી પાસે પડેલા હેય છે. ત્યારે તમારી વૃત્તિ નહીં ડહોળાતી હોય?”
શ્રીમદે કહ્યું: “મુનિ, અમે તે કાળકૂટ વિષ દેખીએ છીએ. તમને એમ થાય છે?”
આ સાંભળી શ્રી દેવકરણજી સજ્જડ થઈ ગયા. શ્રીમદે પૂછ્યું: “તમે કેણુ છે?”
શ્રી દેવકરણજીએ કહ્યું : “જેટલે વખત વૃત્તિ સ્થિર રહે તેટલે વખત સાધુ છીએ.”
શ્રીમદે ફરી પૂછ્યું: “તેવી રીતે તે સંસારીને પણ સાધુ કહેવાય ખરા કે?”
શ્રી દેવકરણજી મૌન રહ્યા.
પછી શ્રીમદે કહ્યું: “હે મુનિ! નાળિયેરને ગેળે જેમ જુદો રહે છે તેમ અમે રહીએ છીએ. વીતરાગ માર્ગમાં સમ્યગદ્રષ્ટિનું સ્વરૂપ શું છે? નાળિયેરમાં રહેલે ગળે નાળિયેરથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org