________________
૧૧૮
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા સ્વામીજીએ કહ્યું: ના, હંમેશાં અહીં આવું તે કલાકને સમાગમ મળશે ?”
શ્રીમદે કહ્યું: “મળશે.”
અવસરે અવસરે શ્રી લલ્લુજી શ્રીમદ્ભા સમાગમાથે પેઢી ઉપર જતા. તેમને દેખીને તે દુકાન ઉપરથી ઊઠી એક જુદી પાસેની ઓરડીમાં જઈ સૂયગડાંગ સૂત્ર વગેરેમાંથી તેમને વાંચી સંભળાવતા, સમજાવતા.
એક દિવસે ખંભાતથી સુંદરલાલ કરીને એક યુવાન વાણિયા મુંબઈ આવેલા; તે શ્રીમદ્દના પરિચયી હતા. તેમને શ્રી દેવકરણજીએ કહ્યું: “મેં શ્રીમદૂને દીઠા નથી, તે તે અત્રે પધારે તે જોઉં તે ખરે કે તે કેવા પુરુષ છે?'
સુંદરલાલ કહેઃ “હું તેમને અહીં તેડી લાવીશ.”
સુંદરલાલ સાથે શ્રીમદ્ ચીંચપોકલીના ઉપાશ્રયે પધાર્યા એટલે ચારે મુનિએ પાટ ઉપરથી નીચે બેઠા. અને સૂત્રકૃતાંગની લખેલી પ્રતમાં ગુંદરના અક્ષરની લિપિ હોવાથી કેટલાક અક્ષર મૂળપાઠમાંના ઊડી ગયા હતા. તેથી અર્થ સમજાતે નહોતે તે બતાવી શ્રી દેવકરણછ મુનિએ પૂછ્યું “અહીં કયા કયા અક્ષરે જોઈએ અને તેને શું અર્થ થાય છે?
શ્રીમદે તે મૂળપાઠના અક્ષરો તથા તેને અર્થ કહી બતાવ્યું.
પછી શ્રી દેવકરણએ નીચેની બીજી બે ગાથાઓ સૂત્રથતાંગની બતાવી અને કહ્યું: “જ્યાં “સફળ” છે ત્યાં “અફળ” હોય અને જ્યાં “અફળ છે ત્યાં “સફળ હોય તે અર્થ ઠીક બેસે છે. તે આ ગાથાઓમાં લેખનદોષ છે કે બરાબર છે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org