________________
મુંબઈમાં મુનિસમાગમ
શ્રી લલ્લુજી સ્વામી વિહાર કરતા કરતા સુરત ગયેલા. તેમની સાથે શ્રી દેવકરણજી નામે તેમના શિષ્ય ગણાતા સાધુ હતા, તે વ્યાખ્યાનમાં બહુ કુશળ હતા. શ્રેતાઓ ઉપર તેમના વ્યાખ્યાનથી વૈરાગ્યપ્રેરક સચેટ અસર થતી. મુંબઈનિવાસી કેટલાક વ્યાપારી સુરતમાં આવેલા. તેમણે શ્રી દેવકરણજીનું વ્યાખ્યાન સાંભળી મુંબઈ પધારવા તેમને વિનંતિ કરી. સુરતના ભાઈઓને સુરતમાં તેમને મારું રાખવા વિચાર હોવા છતાં મુંબઈના ભાઈઓના વિશેષ આગ્રહથી મુંબઈમાં ચોમાસું નક્કી કરવા મહારાજ શ્રી લલ્લુજીને વિનંતિ કરી. ખંભાતથી તે વિષે આજ્ઞા મંગાવી મુંબઈનું માસું નકકી કરવામાં આવ્યું.
મુંબઈમાં શ્રી લલ્લુજી ગયા, ત્યારે શ્રીમના સમાગમ માટે તેમને ત્યાં ગયા. તે વખતે શ્રીમદે પ્રશ્ન કર્યોઃ “તમારે અહીં અનાર્ય જેવા દેશમાં ચાતુર્માસ કેમ કરવું થયું? મુનિને અનાર્ય જેવા દેશમાં વિચરવાની આજ્ઞા થેડી જ હોય છે?” | શ્રી લલ્લુજી સ્વામીએ કહ્યું: “આપનાં દર્શન સમાગમની ભાવનાને લીધે અહીં ચાતુર્માસ કર્યું છે.”
શ્રીમદે પૂછ્યું: “અહીં આવતાં તમને કેઈ આડખીલ કરે છે???
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org