________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તે પ્રાપ્તપણને વિષે અમુક કાળ વ્યતીત થાય તે હાનિ નથી. માત્ર અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તેને વિષે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાનિ છે. જે પરમ એવું જ્ઞાનીનું સ્વરૂપ ભાસ્યમાન થયું છે, તે પછી તેના માર્ગને વિષે અનુક્રમે જીવનું પ્રવેશપણું થાય એ સરળ પ્રકારે સમજાય એવી વાર્તા છે.”
શ્રીમદુની પ્રણિપાત સ્તુતિ –
હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખને અત્યંત ક્ષય કરનારે એ વીતરાગ પુરુષને મૂળમાર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપે, તે અનંત ઉપકારને પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છે; જેથી મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમભક્તિ અને વીતરાગ પુરુષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ જાગ્રત રહે એટલું માગું તે સફળ થાઓ. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org