________________
સમિતિ શુદ્ધ પ્રકાણ્યું રે
૧૬૫ અને એ જે શ્રી તીર્થંકરદેવને અંતર આશય તે પ્રાય મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તે તે અમે હઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે,
કારણકે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું જે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ.”
સમ્યગ્દર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેને અનુભવ છે.”
એ જ વર્ષના એક પત્રમાં શ્રીમદ્ સમ્યગ્દર્શનનાં બે સ્વરૂપ કહે છે –
““આત્મા જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યકત્વ છે, એ શ્રી તીર્થકરને અભિપ્રાય છે. એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિષે નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને બીજરૂચિ સમ્યકત્વ છે.”
સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ જણાવતાં શ્રીમદ્ એ જ વર્ષમાં લખે છે :
જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થને બંધ પામે છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જઈને પામે નથી. જીવ જ્ઞાનીને અભિપ્રાયથી બંધ પામે છે તે જીવને સમ્યકદર્શન થાય છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org